Quotes by Mahesh Vegad in Bitesapp read free

Mahesh Vegad

Mahesh Vegad Matrubharti Verified

@newinmy1gmailcom
(433)

'આપણે મા-બાપને બદલી નથી શકતાં. ન તો એમનો સ્વભાવ બદલી શકીએ, ન તો એમની પ્રકૃતિ. ન એમની પેરન્ટિંગ સ્ટાઇલ બદલી શકીએ, ન અટૅચમેન્ટ સ્ટાઇલ. એમના ઉછેરની પદ્ધતિ, એમના વિચારો, માન્યતાઓ કે મર્યાદાઓ, મા-બાપ વિશેનું કશું જ આપણે બદલી નથી શકતાં. અને આપણે એવો આગ્રહ પણ ન રાખવો જોઈએ કે તેઓ બદલાય.

પરિવર્તન દરેક માટે શક્ય નથી હોતું. દરેકનો ઉછેર, સંજોગો અને બાળપણના અનુભવો અલગ હોય છે. મમ્મી-પપ્પાને પ્રેમ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એમને સ્વીકારી લેવાનો હોય છે. તેઓ જેવાં છે, જેવી મનોદશા કે માનસિકતા સાથે જીવે છે, એ હાલતમાં એમને સ્વીકારી લેવા એ સંતાનનું ખરું કર્તવ્ય છે. એમનો સ્વભાવ બદલવાની જીદ કે શરત વિના એમને પ્રેમ અને આદર આપવો એ એમની ઉત્કૃષ્ટ સેવા છે. ઉછેર દરમિયાન થયેલી ભૂલો માટે મા-બાપને માફ કરી દેવાં, એ આધ્યાત્મિક આરોહણનું પહેલું પગથિયું છે, કારણ કે જેઓ મા-બાપને માફ નથી કરી શકતાં, તેમનામાં કરુણા ઊગવાની શક્યતા નહીંવત્ હોય છે.’

Read More

લોકોની પસંદગી અને પ્રાથમિકતા બહુ જલદી બદલાઈ જાય છે. રાતના અંધારામાં ભલે ને એકબીજામાં પરોવાયેલાં હોય , સવાર પડતાંની સાથે જ પ્રેમીઓની પ્રાયોરિટીઝ બદલાઈ જતી હોય છે. કેટલાક સાથ રાતના અંધારા પૂરતા સીમિત હોય છે. અજવાળું થતાંની સાથે જ લોકો પોતપોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જાય છે. અને છોડી જાય છે...એકલતા. સૂનકાર. અને ખાલીપો...✍🏻 ✨

Read More

“સબંધ તો એ જ છે, જ્યાં ભાવનાઓ, સમય અને માન્યતા - બન્ને તરફથી મળે.”

સંબંધો તૂટે છે, પણ કારણ શું?

સંબંધો તૂટવાનું કોઈક એક માત્ર કારણ નથી. સંબંધની ડોરી હળવેથી જાણતા/અજાણતા,સ્વાર્થ ,અહંકાર,રૂઢીચૂસતા,અગ્રહો/પૂર્વગ્રહો થી ખેંચાયા કરે છે ત્યારે એ નબળા પડતા જાય છે અને ક્યારેક બસ માત્ર એક નાની અમથી વાત માં પણ એ તાતણે તાતણે તૂટી જય છે અને ક્યારેય જોડાતા નથી પણ નુકસાન બંનેય બાજુ થાય છે પસ્તાવો પણ મહદઅંશે બંને બાજુ થાય છે અથવાતો અહંકાર ની વિનાશી રમત શરૂ થાય છે......

એકતરફી પ્રયત્નો – એ સંબંધની નબળી નજ્જર

સંબંધોની મજ્જર બન્ને પક્ષે મજબૂત હોવી જોઈએ. જો એક વ્યક્તિ સતત પ્રયત્ન કરે અને બીજી વ્યક્તિ વણજોડ બને, તો સંબંધમાં તણાવ વધે છે. ઉદાહરણ તરીકે, એક પતિ સતત પત્નીને સમય અને પ્રોત્સાહન આપવા પ્રયત્ન કરે, પરંતુ પત્ની પોતાના કામમાં વ્યસ્ત રહે છે અને આ કદર નથી કરતી, તો તે સંબંધ ધીમે-ધીમે નબળો પડતો જાય છે.

“સંબંધોમાં ખાલીપણું નથી આવે એક દિનમાં, એ તો ધીમે-ધીમે, મૌન વચ્ચે તૂટે છે.”

કંઈક છૂટી રહ્યું છે…

સંબંધોમાં ઘણાં કારણો મોટા દેખાય છે, પરંતુ અસલમાં અસંખ્ય નાના કારણો જ તૂટણ તરફ દોરી જાય છે. ઉદાહરણ તરીકે, માતા-પિતાની સાથે બાળપણથી નાજુક સંબંધ હોય, પરંતુ માતા-પિતા પોતાના જૂના વિચારોમાં જ અટવાઈ જાય છે, તો બાળકોના ભાવનાઓ સમજાય નહિ. આ કારણે બાળકો એકલા પડે છે, અને આ સંઘર્ષ ટાણે સંબંધમાં વિખૂટો પડી જાય છે.

“ક્યારેક નાના નાના મૌન હોય છે, જે હ્રદયને તૂટી જતા કહે છે.”

એક પીતળિયું ઉદાહરણ:

વર્ષોથી નજીક રહેતા બે મિત્રો હતા. એક હંમેશા સમય આપવા તૈયાર હતો, વારંવાર ફોન કરીને મુલાકાત લેતો હતો. બીજો મિત્ર હંમેશા ઉદ્યોગમાં વ્યસ્ત અને અલિપ્ત રહેતો હતો. એક દિન, જયારે પ્રથમ મિત્રએ થાકીને કેમ તે સતત સમય આપવા પ્રયત્ન કરતો હોય, એ વિચાર્યું, ત્યારે સમાપ્ત થતો સંબંધ માત્ર એક નાનકડા અપવાદથી નહોતો તૂટ્યો; એ તો વર્ષો સુધી નકારાતમકતા અને અવગણના દ્વારા તૂટતો રહ્યો હતો.

“વિખૂટા ના પાડો એ ડોરીને, જેને જોડાય છે બે હ્રદય.”

સંબંધ તૂટવાના બે મુખ્ય કારણો

1. અવિશ્વાસ અને અવિનય:
સંબંધની ફળદ્રુપતા માટે વિશ્વાસ મહત્વપૂર્ણ છે. જ્યારે એક વ્યક્તિનો વિશ્વાસ તૂટે છે, ત્યારે સંબંધની નબળાઈ જણાય છે. વિશ્વાસ તૂટે છે, ત્યારે માણસ હ્રદયથી દુર થવા લાગે છે.
“વિશ્વાસ તૂટે છે, તો સંબંધ પણ ટકી શકતું નથી.”
2. અભિમાન અને અહમ:
કોઈ સંબંધમાં અભિમાન આવવું એ તેનો અંત છે. જ્યારે વ્યક્તિ પોતાની ગર્વભરી માન્યતાઓ અને અહમમાં ફસાઈ જાય છે, ત્યારે બીજા માટે સમય અને લાગણી ફક્ત અવગણના બને છે.
“અહમનો ભાર એટલો ન હોય કે સંબંધ જ ટકી ન શકે.”

પ્રેમ, લાગણી અને કદર – સંબંધનું તત્વ

સંબંધોની જળવણી માટે પ્રેમ અને લાગણીનો સમાવેશ જરૂરી છે. થોડુંક ધ્યાન, થોડીક કદર, અને થોડુંક સન્માન - આ જ તત્વો સંબંધને જીવંત રાખે છે.

ઉદાહરણ તરીકે, એક યુગલ છે જે કેટલાંક વર્ષો સુધી પ્રેમમાં રહે છે, પરંતુ સમય જતાં, એકતરફી પ્રયત્નો શરૂ થાય છે. પતિ સતત કામમાં વ્યસ્ત રહેતો અને પત્ની પોતાની લાગણીઓને વ્યક્ત કરનારી, પરંતુ અવગણનાર થતો જતો. અંતે, એ સંબંધ તૂટે છે, કારણ કે બંને વચ્ચેનો પ્રેમ ધીમે-ધીમે મટાય છે.

“લાગણીઓ કદી પણ મૌન નહિ થાય, જો બન્નેનું દિલ વાત કરે.”

કેટલાક પ્રેરણાદાયી ઉદાહરણો અને કોટ્સ

1. મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધી:
ગાંધીજી અને કસ્તુરબાના સંબંધમાં અનેક ચડાવ-ઉતાર આવ્યા, છતાં બન્ને જણ એકબીજાને સમજીને સંબંધને મજબૂત રાખ્યા. તેઓએ એકબીજાને સમજવાનું અને સમય આપવાનું મહત્વ માન્યું.
“સંપર્ક એ જ છે જ્યાં મન અને દિલ બંને સાથે ચાલે.”
2. રામકૃષ્ણ પરમહંસ અને સારદામા:
રામકૃષ્ણ પરમહંસ અને સારદામાના સંબંધમાં ઊંડો આધ્યાત્મિક પાયો હતો. બન્ને જણ એકબીજાના માનસિક અને ભાવનાત્મક પેલાંએ સમજી શક્યા, અને તે જ કારણે તેઓએ પોતાની લાગણીઓને શાશ્વત રાખી.
“કદર હોવી જોઈએ, કેમ કે કદર વગર સંબંધનો કોઈ અર્થ નથી.”

સંબંધને સાચવી રાખવા શું કરવું?

• લાગણીઓ વ્યક્ત કરો:
સંબંધીકતામાં તમે જે અનુભવો છો, તે સ્પષ્ટ રીતે વ્યક્ત કરો. સારા અને નકારાત્મક બંને અનુભવ જરૂરથી શેર કરો.
• સમય આપો:
સંબંધોની ગરમાવોને બચાવવા માટે સમય આપવો અનિવાર્ય છે. વ્યસ્તતા છોડી, થોડો સમય આપશો તો તમારા પ્રિયજનને તેની કદર થશે.
• અન્યની લાગણીઓનો સન્માન કરો:
તમારા સમાન, બીજા લોકોની લાગણીઓ પણ મહત્વપૂર્ણ છે. એકબીજાને સમજશો અને માન આપશો, તો સબંધમાં વિશ્વાસ વધશે.

“કદર તો એ જ છે, જ્યાં બે હ્રદય એકબીજાને અડકે છે.”

અંતિમ વિચાર

સંબંધો ટકી રહે છે જ્યારે બન્ને જણ પોતાનો જવાબદારીપૂર્વક ભાગ ભજવે છે. એકતરફી પ્રયત્નો ક્યારેય લાંબા સમય સુધી ટકી શકતા નથી. તેથી, બન્ને જણએ એકબીજાની લાગણીઓ, સમય અને જીવનને કદર આપવી જોઈએ.

“સબંધ તો એ જ છે, જ્યાં ભાવનાઓ, સમય અને માન્યતા - બન્ને તરફથી મળે.”

Read More

એક દિવસ મેં જિંદગી ને સવાલ કર્યો કે, "તું કોણ છે ?"

જિંદગી એ સરસ જવાબ આપ્યો કે....

"માણો તો હું મોજ છું, પણ ઘટતી જાઉં રોજ છું.. ક્યારેક દુઃખ નો ધોધ છું તો, ક્યારેક હું સુખની મોજ છું..

ભરી લ્યો તો હું શ્વાસ છું, રાખી લ્યો તો વિશ્વાસ છું.. ક્યારેક આસ પાસ છું તો, ક્યારેક બહુ ખાસ છું હું..

લડી લ્યો તો જંગ છું હું, પુરી લ્યો તો રંગ છું હું.. ક્યારેક ઘણી તંગ છું તો, ક્યારેક તારી સંગ છું હું..

સમજો તો એક વિચાર છું, માનો તો સાચો યાર છું હું.. સ્વપ્ન માનો તો સાકાર છું હું, ઈશ્વરે આપેલો મોંઘો ઉપહાર છું"

Read More

રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી,
ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા,
એની સાથે મુલાકાત પહેલી હતી.

આંખમાં એક દરિયો છુપાયો હતો,
પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી,
ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી.

મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા,
જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું,
જિંદગી એક પળમાં ઉકેલી હતી.

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ,
પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી,
પીઠથી પીઠ તો પણ અઢેલી હતી.💖

Read More

🌧️ તું અને આ વરસાદ બંને
મને એક જેવા લગો છો...

ક્યારેક અનહદ વ્હાલ વરસાવે છે ,
તો ક્યારેક એક બુંદ માટે તરસાવે છે..🌧️

Read More

ઝાપટીને માંડ સુકવ્યા હતા શમણાઓ નેણની અગાશી પર ,

માવઠું હળવું જરાક સ્મૃતિ નું આવ્યુ અને ફરી બધા ભીના થઈ ગયા...

Read More

એક સારો શિક્ષક કેવો હોય?

1. ઊંડી સૂઝ બૂઝ ધરાવતો હોય.

2. પોતાનાં વિષયનું યોગ્ય જ્ઞાન ધરાવતો હોય.

3. વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ અને સહાનુભૂતિપૂર્ણ વર્તન કરતો હોય.

4. 'પોતે જ શ્રેષ્ઠ છે' એવું અભિમાન ન હોય.

5. બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ જન્માવનાર હોય.

6. વિદ્યાર્થીએ પુછેલ પ્રશ્નનો એને સંતોષકારક ઉકેલ આપવા સક્ષમ હોય.

7. હંમેશા ઉત્સાહથી ભરપૂર હોય.

8. મોં કાયમ હસતું હોય. ઉદાસીન કે ગુસ્સો ભરેલો ચહેરો બાળકને પસંદ નથી હોતો.

9. કોઈ પણ બાળકને નબળું કે હોશિયાર ન ગણતાં બધાને એકસમાન ગણે.

10. ક્યારેય કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય ન કરે.

11. બદલાની ભાવના બિલકુલ ન રાખે.

12. પોતાની સાથેના અન્ય શિક્ષકો કરતાં પોતાને ચઢિયાતા સાબિત કરવાનો પ્રયત્ન ન કરે. એનું કામ જ એને યોગ્ય પદવી આપશે.

13. કોઈ પણ વિદ્યાર્થીને શાંતિથી સાંભળવાની ધીરજ ધરાવતો હોય.

14. વર્ગમાં કોઈ વિદ્યાર્થી અચાનક ઉદાસ દેખાય તો એ બાબત એનાં ધ્યાનમાં આવવી જોઈએ.

15. એની પોતાનાં મુદ્દાઓ સમજાવવાની પદ્ધતિ એકદમ સરળ હોવી જોઈએ.

16. વર્ગમાં ક્યારેય પણ પોતાનાં તાસનું યોગ્ય અધ્યયન કર્યા વગર જવો ન જોઈએ.

17. માત્ર પરીક્ષાલક્ષી ભણાવવાનો આગ્રહ ન રાખતાં તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજૂતી આપે.

18. બાળકોને માત્ર પુસ્તકમાં હોય એટલું જ જ્ઞાન આપવાને બદલે ક્યારેક દુન્યવી જ્ઞાન પણ આપે.

19. કોઈક દિવસ એવો પણ રાખે કે જ્યારે એ બાળકોને થોડા સામાન્ય જ્ઞાનને લગતાં મુદ્દાઓની ચર્ચા કરે. આનાથી બાળકોને એક વિરામ મળી જશે અને તેઓ ફરીથી તાજગી અનુભવી વધુ ધ્યાન કેન્દ્રિત રાખી શકશે.

20. બાળકોને પ્રેરણા આપતી કોઈ વાર્તા કે પ્રસંગની ચર્ચા કરે... ✍🏻 ✨

Read More

✨'અજ્ઞાની' દરેક વ્યક્તિ હોય છે...માત્ર 'વિષય' અલગ અલગ હોય છે... ✍🏻✨ મહેશ કે વેગડ
https://www.instagram.com/p/C1Od5RWt5E3/?igsh=ajVya3dqMW54NWQ2