Quotes by મોહનભાઈ આનંદ in Bitesapp read free

મોહનભાઈ આનંદ

મોહનભાઈ આનંદ Matrubharti Verified

@mohanbhaianandgmailcom4776
(6.5k)

પ્રાણ પંખી શ્વાસમાં ઊડ્યા કરું છું,
એક પતંગો આભમાં ઊડ્યા કરું છું.

ક્યાંક તો અટકે જ છે મારી સફર તો,
એક તૃષ્ણા ઘાવમાં ઊડ્યા કરું છું.

છું મિજાજે યાર, મહોબત એટલે તો,
ઈશ્ક આલમ ખાકમાં ઊડ્યા કરું છું.

હુસ્નની રંગીનિયત છે જો નજર સામે,
રોજ સળગી આગમાં ઊડ્યા કરું છું.

ના મિલન છે આપણું ના કોઈ જુદાઈ,
હોશ રાખી હાશમાં ઊડ્યા કરું છું.

મોહનભાઈ આનંદ

- મોહનભાઈ આનંદ

Read More

પ્રાણ પંખી શ્વાસમાં ઊડ્યા કરું છું,
એક પતંગો આભમાં ઊડ્યા કરું છું.

ક્યાંક તો અટકે જ છે મારી સફર તો,
એક તૃષ્ણા ઘાવમાં ઊડ્યા કરું છું.

છું મિજાજે યાર, મહોબત એટલે તો,
ઈશ્ક આલમ ખાકમાં ઊડ્યા કરું છું.

હુસ્નની રંગીનિયત છે જો નજર સામે,
રોજ સળગી આગમાં ઊડ્યા કરું છું.

ના મિલન છે આપણું ના કોઈ જુદાપણું,
મોત મુઠ્ઠી પાશમાં ઊડ્યા કરું છું.

- મોહનભાઈ આનંદ

Read More

તમે ઓળખ,ધરો સાચી ગુલાબી,
પછી મ્હેંકો,જરા અંગત ખરું ને!

રહો ઊભા ,હ્રદયનાં બારણે, ત્યાં
ટકોરા બંધ હો રંગત ખરું ને!

મોહનભાઈ આનંદ

Read More

खुशहाल हुं, लफ्ज़ ए बयां करूं कैसे,
घायलभी हुं, मूस्कान अदा करूं कैसे;

मैंने पाया हुं, ज़ख्म , बहुत गहरा,
ख़ून तेरी है पहेचान, अदा करूं कैसे।

आनंद

Read More

खुशहाल हुं, लफ्ज़ ए बयां करूं कैसे,
घायलभी हुं, मूस्कान अदा करूं कैसे;

मैंने पाया हुं, ज़ख्म , बहुत गहरा,
ख़ून तेरी है पहेचान, अदा करूं कैसे।

आनंद

Read More

સ્વપ્ન/ દિવાસ્વપ્ન

જાગૃતિ સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાઓ દેહની છે.હંમેશા
ઈન્દ્રિયને જગતમાં અનુભૂતિ જાગૃત અવસ્થામાં થાય છે.
સુષુપ્તિમાં તો દેહમાં ચેતના ભલે હોય ,પણ એ સુધ-બુધ માં હોતો નથી. જીવાત્માને વિશ્રામની અવસ્થામાં ફક્ત
ગહન ઊંઘમાં તમસ ગુણને આશ્રિત થતા આરામ ફરમાવે છે.

પરંતુ જાગૃતિ અને સુષુપ્તિ અવસ્થાની વચ્ચે એક સ્વપ્ન જેવી અવસ્થા હોય છે.એમા ના તો પુરી જાગૃતિ છે,ના તો પુરી બેભાન હાલતમાં છે. એ અર્ધચેતનાની અવસ્થા છે.
મન તો એક જ છે . પરંતુ એના કર્મો પ્રમાણે અલગ અલગ
નામ છે, ચેતન મન, અર્ધચેતન, મનની અવસ્થાઓ પણ
હોય છે. ક્ષિપ્ત , વિક્ષિપ્ત મૂઢ, વગરે.. આપણે તો મનમાં
સ્વપ્ન આવે છે,એ સ્વાભાવિક છે. અને કેમ આવે છે?
એ જાણવું જોઈએ.

દરેક માણસમાં કશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે.કંઈક
બનવું, પામવું થવું હોય છે.ઘણીવાર એ અશક્ય જેવું પણ હોય છે. દેશ કાળ સમયથી વિપરીત પણ હોય છે. છતાંયે
ઈશ્વરની અનુકંપાના કારણે સ્વપ્નમાં તમારી અધૂરી ઇચ્છા ઓની તૃપ્તિના પ્રસંગો બને છે.તમને સંતુષ્ટિ થાય છે.અને
સ્વપ્ન પૂરું થઈ જાય છે.

ઘણીવાર એવા સ્વપ્ન આવેછે જેની તમે કલ્પના પણ કરી ના હતી. અરે! કોઈ અલગ પ્રદેશમાં ચાલ્યા જવું, નવા નવા લોકો વાતાવરણ નવી રીતભાત અને સંસ્કૃતિનો અનુભવ પણ થાય છે.એ તમારા સંસ્કારો ના કારણવશ થાય છે. અનંત જન્મોના સંસ્કાર ચિતમાં ‌પડ્યા છે. ઘણીવાર એક જ પ્રકારના સ્વપ્ન આવેછે,એ ક્રિયા થાય છે
અને સ્વપ્ન ટુટી જાય છે.

સ્વપ્ન સૃષ્ટિ એ ગજબની સૃષ્ટિ છે. સ્વપ્ન ઉપરથી જ્યોતિષમાં ફળાદેશની પણ પધ્ધતિ છે. સ્વપ્ન સારા, નરસા , બિહામણા ,રંગીન મિજાજી અને એક અજીબ સૃષ્ટિ જે તમારી કલ્પનાની બહાર છે.એવા પણ દિવ્ય સ્વપ્ન આવે છે. ઘણીવાર સ્વપ્ન દ્વારા નિર્દેશ પણ મળે છે.
ઘણીવાર વાર સ્વપ્નમાં તમારા કોયડા કે પ્રશ્નોના પણ
સમાધાન મળતા રહે છે.

સ્વપ્ન સૃષ્ટિ એ ઈશ્વરની કૃપા છે. એમાં તમારી જિંદગી માટે ઘણું સમાધાન અને રસ્તો મળે છે. સ્વપ્ન માણસને હળવો બનાવી દે છે. અમુક સ્વપ્ન ભયંકર પણ હોય છે.
આખરે સ્વપ્ન સૃષ્ટિનાં રચયિતા તમે સ્વયં છો.એ વાત ભુલવી જોઈએ નહીં.ખરેખર સ્વપ્નશીલ ‌હોવુ એ ઈશ્વરની કૃપા અથવા વરદાન છે.

દિવસે આવતું સ્વપ્ન અથવા મનો રાજ, કે મનની કલ્પના ને આપણે દિવાસ્વપ્ન કહીએ છીએ. માણસને ઈશ્વરે એક
અતિ ઉત્તમ સાધન મન આપ્યું છે. એ દિવ્ય છે.મનની શક્તિ અગાધ છે.એ મનને અંત:કરણ પણ કહ્યું છે.

મન એટલે સંકલ્પ વિકલ્પ કરવામાં આવતી શક્તિ અથવા વિચાર શક્તિ. મન એ જ નિર્ણય કરવામાં આવતી તાર્કિક શક્તિ એટલે બુધ્ધિ છે. ચિત્ત માં રહેલા સંસ્કાર દ્વારા
સ્પંદનો અને વિચારો ઉત્પન્ન કરનાર ચિત પણ મન છે.
આને દેહ અભિમાન ધ્વારા ઈન્દ્રિયો સાથે જોડાયેલી શક્તિ હું જીવ ભાવ કે અહંકાર પણ મન જ છે.

આ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ને અંત:કરણ કહેવાય છે.માનવીને ઈશ્વરે કર્મ કરવાની સ્વંત્રતા સાથે ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ આપી છે.તેથી તે જાત જાતના
મનોરથો કરેછે. અને એ પૂર્ણ કરવામાં આખી જિંદગીની
બાજી લગાવી દે છે.કલ્પનાના ઘોડા પર સવાર થઈને એ
ઊડાન ભરે છે. પોતાના દિવાસ્વપ્નને સાકાર કરવા મરણિયો પ્રયાસ આદરે છે.

Read More

છાલક સુરાહી ની જુઓ વાગી જરા
ભીતર હતી મસ્તી, હવે જાગી જરા

શબ્દોની અંતરમાં એ પ્યાસ લાગી છે
ને વાંસળી મોહનની સૂરમાં રાગી જરા.

-મોહનભાઈ આનંદ

Read More

સુખ ઝાંઝવાના,જળ અહીં,
દુઃખ છે સદા જો પળ અહીં.

આયખું ,હવા જેવું દીસે,
શ્વાસોમાં સાચી કળ અહીં.

ધારણ જીવન છે ધર્મમાં,
મન છેતરાયા ,ખળ અહીં .

ખોટા જ દમ જો ભીડતા,
વાળે મૂછો , વળ અહી

પ્રેમાળ છે, ત્યાગી જનો,
આનંદ સાચે, બળ અહીં

ખળ = ધૂર્ત

-મોહનભાઈ આનંદ

Read More

દર્દોનું તું બારણું , કદી ખોલીશ ના,
કોઈ વ્યર્થ શબ્દોને કદી બોલીશ ના.

પ્રારબ્ધમાં છે એ મળી રહેવાનું છે,
લાગે ભલે ઓછું ,કદી તોલીશ ના.

છોને વગાડે બિન મદારી જેમ મન,
ફણિધર ની જેવો તું કદી ડોલીશ ના.

મીઠી જરા વાતો થી ભરમાઈ કદી,
ભાવો તું શબ્દોમાં કદી જોડીશ ના.

ખીલી જવા આનંદમય જીવન જરા,
સંસાર ચિંતન મન, કદી ફોલીશ ના.

-મોહનભાઈ આનંદ

Read More

ચિંતન લેખ: પ્રિયતમ
મોહનભાઈ પરમાર " આનંદ

પ્રિય શબ્દની અનુભૂતિ મધુર ચૈતન્યમય રસાનુભૂતિ કરાવે છે. આ સંપૂર્ણ વિશ્વ માધુર્ય ભાવ ઊર્મિથી, પરિપૂર્ણ છે.પરંતુ બધાને મધુરભાવની પ્રાપ્તિ થતી નથી. વંચિત રહી જાય છે શામાટે?

આપણાં રોજિંદા જીવન વ્યવહારમાં પણ, પ્રિય-અપ્રિયનો દ્વન્દ્વ ચાલુ જ છે. આપણી મનોવૃત્તિને અનુકૂળ વસ્તુ વ્યક્તિ પદાર્થ પ્રિય લાગે છે, પ્રતિકૂળતા અપ્રિય લાગે છે. સૌનો અનુભવ છે, એમાંથી બધા પસાર થાયછે.

આપણે કોઈ પ્રિય ક્યારે લાગીશું ?આપણે કોઈ પ્રિયપાત્ર બની શકીએ? આ જગતમાં પ્રેમનું ઝરણું દોડ્યું જ જાય છે એમાં આપણે પવિત્ર થવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. પણ આપણને એ દ્રષ્ટિગોચર થતું કેમ નથી? શું પ્રેમ વગર જીવન શક્ય છે ખરું?

માધુર્ય ભાવ એ ભક્તિ રસ છે , ભક્તિ યોગ છે .પ્રેમ યોગ છે. જ્યાં એનું ઉદ્ઘાટન છે ,ત્યાં દ્રષ્ટિ પ્રેમમય રસમય હોય છે.આ દિવ્યતા સભર અનુભૂતિ માટે, શ્રીકૃષ્ણ ગીતામાં જવાબ છે કે ભગવાન ને પ્રિય કોણ છે? એનો સરસ ઉત્તર આપણે ને મળે છે. જે આપણને સમાધાન આપે છે.

अनपेक्ष: शुचिर्दक्ष उदासीनो गतव्यथ: ।
सर्वारम्भपरित्यागी यो मद्भक्त: स मे प्रिय: ।।१२.१६।।

जो पुरुष आकांक्षा से रहित, बाहर-भीतर से शुद्ध, चतुर, पक्षपात से रहित और दु:खों से छूटा हुआ है- वह सब आरम्भों का त्यागी मेरा भक्त मुझको प्रिय है।

પ્રિય કોણ બની શકે? એનો જવાબ છે અનપેક્ષ.
જેને સંબંધો માં કોઈ અપેક્ષાઓ રાખી જ નથી. સદાય વિનમ્રતાથી નિત્ય નિરંતર પોતાની ફરજો બજાવી રહ્યા છે તેઓ પ્રિય છે. એટલે જ " માં " શબ્દ સૌથી પ્રિય છે.
માં કશું માંગતી નથી. માટે પ્રિય છે.

માં પછી પિતા પણ પ્રિય છે કારણકે અપેક્ષા રાખ્યા વગર સંતાનો અને કુટુંબ માટે જાત ઘસી નાંખે છે. બધાજ દુઃખ તકલીફ પોતાની ઉપર લઇ લે છે માટે પ્રિય છે.

ગુરુ સૌથી પ્રિય છે, કારણકે ગુરુ જ્ઞાન એકલું આપતા નથી, તમારા અનંત જન્મોના કર્મો કાપી નાખવામાં મદદ રૂપ થાય છે.તમને તમારા સ્વરૂપની અનુભૂતિ કરાવે છે
એના બદલામાં તમે શું આપી શકો? ગુરુ જેવા અનપેક્ષ આ બ્રહ્માંડમાં કોઈ નથી

આ ઉપરાંત સહોદર, કોટુબિક સંબંધો અને મિત્રો પણ અનપેક્ષ હોય છે ત્યારે સુખાનુભૂતિ થાય છે. પરંતુ પ્રિય શબ્દ નું માહાત્મ્ય અને માધુર્ય ભાવ એ દામ્પત્યજીવન માં
વિશેષ જોવા મળે છે. એ શબ્દાનુભૂતિ નથી ,એ ત્યાગ સમર્પણ અને શરણાગતિના પરમોચ્ચ શિખરની પ્રાપ્તિ માં
આદર્શ પ્રેમની અનુભૂતિ છે.

શ્રી રામ સીતા, શ્રીકૃષ્ણ -રાધાજી દિવ્યતા સભર અનુભૂતિ ના ઉદાહરણ છે.પ્રિયભાવ એ રસાયણ છે.ભક્તિ એ મધુર ચૈતન્યમય રસાનુભૂતિ છે.જ્યા અપેક્ષા નથી ત્યાં ફળીભૂત થાય છે .ઉદાહરણ માટે ચૈતન્ય મહાપ્રભુનું નામ સર્વોપરિ છે.

પ્રેમ એટલે જ પરમાત્માનું સ્વરૂપ સ્વરૂપ, આપણે હંમેશા એને મૂર્તિઓમાં જોવાનો પ્રયત્ન કર્યો છે. જરા નજર
નારાયણ માંથી હટાવી નર માં કરીએ, ત્યારે સત્ય ના દર્શન થશે. પ્રિયતમ રાજી થશે.સાચી રીતે જો તમે પ્રેમ કરતા શીખી જાવ તો પ્રિયતમ રાજી થઈ જાય. તમે અવશ્ય પ્રેમાસ્પદ બની જાવ.

જ્યાં દયા અને કરુણા છે, ત્યાં પ્રેમ હોય છે.મહાવીરના સ્વરૂપને જુઓ ,કેવી કરૂણા છે,.ગૌતમ બુદ્ધને જુઓ, ઈસુને જુઓ .બધા મહાપુરુષોના જીવનમાં પ્રેમ ત્યાગ અને બલિદાન છે માટે જ પ્રિતી પાત્ર બન્યા છે.ચાલો
આપણે પ્રેમ સ્વરૂપ બની ,પારદર્શકતા લાવી જીવનમાં રસાનુભૂતિ લાવીએ.. ૐ‌

Read More