Quotes by Dinesh in Bitesapp read free

Dinesh

Dinesh Matrubharti Verified

@dinesh3101
(59.4k)

🙏*જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

શ્રેષ્ઠતા કોઈ એક દિવસની મહેનતથી નહીં, પરંતુ દરરોજની સારી આદતોથી જન્મે છે.

*શુભ સવાર*

Read More

🙏*જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

કર્મ એવાં કરીએ, કે સમય આવે ત્યારે નસીબને પણ સાથ આપવો પડે. સારાં કર્મનું ફળ આજે નહીં તો કાલે, પણ મળે છે ચોક્કસ.

*શુભ સવાર*

Read More

🙏*જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

મગજથી ચાલતાં સંબંધો ક્યારેય આનંદ આપી શકતાં નથી. કેમ કે એમાં લાગણી ઓછી અને ગણતરી વધારે હોય છે.

*શુભ સવાર*

Read More

🙏*જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

મૌન પણ ક્યારેક શબ્દોથી વધુ બોલી જાય છે.

*શુભ સવાર*

ગુરુપૂર્ણિમા


ગુરુ પુર્ણિમા એટલે ભારત વર્ષની ગુરુ પરંપરાનો દિવસ, ભારતીય સંસ્કૃતિની ગરિમાનો દિવસ, અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવાનો દિવસ, ગુરુ કૃપાનો પ્રાપ્તિ દિવસ, જીવનમાંથી અજ્ઞાનરુપી અંધકારને દૂર કરવાનો દિવસ, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો દિવસ, આદ્યાત્મિક જગતના મહાન પર્વનો દિવસ, ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ, ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યકત કરવાનો દિવસ, ગુરુએ બતાવેલ આદર્શોના માર્ગે ચાલવાનો સંકલ્પ કરવાનો દિવસ, ગુરુ શિષ્યના પવિત્ર મિલનનો દિવસ.

*ગુરુપૂર્ણિમાની શુભકામના*

Read More

🙏*જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

સમય આપણને શીખવે છે કે જીવનમાં બધુંયે કાયમી નથી. જે આજે છે, તે કાલે ન પણ હોય. એટલે દરેક ક્ષણને સમજદારીથી જીવવી અને સંબંધોની કદર કરવી.

*શુભ સવાર*

Read More

પ્રતિક્રિયા

ઓછી પ્રતિક્રિયા આપવાનું શીખો... કારણ કે તમારી શાંતિ જ તમારી સૌથી મોટી શક્તિ છે.

આ દુનિયામાં દરેક વ્યક્તિ તમને કંઈક ને કંઈક કહેતી જ રહેશે. કોઈ તમારી પ્રશંસા કરશે, કોઈ ટીકા કરશે, કોઈ તમને સમજશે અને કોઈ જાણીજોઈને તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે. જો તમે દરેક શબ્દનો જવાબ આપવા બેસી જશો, તો આખુંયે જીવન માત્ર લોકોની પ્રતિક્રિયાઓમાં જ પસાર થઈ જશે.

પરિપક્વતા એ નથી કે તમે દરેક દલીલ જીતી જાઓ. સાચી પરિપક્વતા એ છે કે તમે સમજી જાઓ કે કઈ લડાઈ લડવા જેવી છે અને કઈને મૌનથી જ હરાવી શકાય છે.

દરેક અપમાનનો જવાબ ગુસ્સાથી આપવો જરૂરી નથી. દરેક આરોપ સામે પોતાની નિર્દોષતા સાબિત કરવી પણ જરૂરી નથી. કારણ કે જે લોકો તમને સાચે ઓળખે છે તેમને કોઈ પુરાવાની જરૂર પડતી નથી અને જે લોકો સમજવાં જ નથી માંગતાં તેમને હજારો પુરાવા પણ બદલી શકતાં નથી.

મૌન ઘણીવાર શબ્દો કરતાં વધુ અસરકારક જવાબ હોય છે. મૌન એ ભાગી જવાનું નામ નથી; મૌન એ પોતાની લાગણીઓ પરનો કાબૂ છે. જે વ્યક્તિ પોતાનાં ગુસ્સા પર જીત મેળવી શકે છે, તે દુનિયાની ઘણી લડાઈઓ જીત્યાં વિના પણ વિજેતા હોય છે.

યાદ રાખો, લોકો ઘણી વખત તમારી પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરીને તમને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ જાણે છે કે ક્યા શબ્દોથી તમને ગુસ્સો આવશે, કઈ વાતથી તમે દુઃખી થશો અને કઈ પરિસ્થિતિમાં તમે પોતાનું સંતુલન ગુમાવી દેશો. પરંતુ જે દિવસે તમે તમારી પ્રતિક્રિયાઓ પર નિયંત્રણ મેળવી લેશો, તે દિવસે કોઈપણ તમને પોતાની ઇચ્છા મુજબ ચલાવી શકશે નહીં.

દરેક વાતમાં પોતાને સાબિત કરવાની આદત છોડો. સૂર્ય ક્યારેય કોઈને સાબિત કરતો નથી કે તે પ્રકાશ આપે છે. ફૂલ ક્યારેય જાહેરાત નથી કરતું કે તેમાં સુગંધ છે. નદી ક્યારેય ઘોષણા નથી કરતી કે તે જીવન આપે છે. તેમ છતાંયે તેમની કિંમત ઓછી થતી નથી. તમારું વ્યક્તિત્વ પણ એવું જ હોવું જોઈએ - શાંત, સ્થિર અને પોતાનાં મૂલ્યોમાં અડગ.

તમારી ઊર્જા ખૂબ કિંમતી છે. તેને દરેક નાની-મોટી ચર્ચા, દરેક ટીકા અને દરેક નકારાત્મક વ્યક્તિ પાછળ ખર્ચી ન નાખો. તમારી શક્તિ તમારાં સપનાઓ, તમારાં પરિવાર, તમારાં વિકાસ અને તમારાં આંતરિક શાંતિ માટે બચાવી રાખો.

ક્યારેક જીવનમાં સૌથી મોટો જવાબ શબ્દો નથી હોતાં, પરંતુ તમારો વિકાસ હોય છે. સૌથી મોટી દલીલ તમારું સફળ જીવન હોય છે અને સૌથી મોટી જીત એ હોય છે કે તમે અંદરથી એટલાં મજબૂત બની જાઓ કે કોઈનાં શબ્દો તમારાં મનની શાંતિ છીનવી ન શકે.

યાદ રાખો...
જે પોતાની પ્રતિક્રિયાઓ પર કાબૂ રાખે છે, તે પોતાનાં જીવનનો માલિક બને છે. જે દરેક વાત પર પ્રતિક્રિયા આપે છે, તે બીજાનાં હાથનું રમકડું બની જાય છે.

તમારી શાંતિને તમારી તાકાત બનાવો, તમારાં મૌનને તમારી ઓળખ બનાવો અને તમારી ઊર્જા માત્ર ત્યાં જ ખર્ચો, જ્યાં તે ખરેખર મૂલ્યવાન હોય. કારણ કે જીવનમાં દરેક યુદ્ધ જીતવું જરૂરી નથી, પરંતુ પોતાની જાત પર જીત મેળવવી સૌથી મોટી જીત છે.

અસ્તુ

Read More

🙏*જય બાબા સ્વામી*🙏

*આજનો સુવિચાર*

દેવ આગળ દીવો કરો કે ન કરો, એ સૌ સૌની શ્રદ્ધા છે. પરંતુ કોઈનું દિલ ન બળે, એટલું જરૂર ધ્યાન રાખવું. કારણ કે એ પણ એક પૂજા જ છે.

*શુભ સવાર*

Read More

અજાણી ચિઠ્ઠી

સવારે વર્ગમાં શાંતિ છવાઈ, અચાનક એક ચિઠ્ઠી સામે આવી. ન નામ, ન સરનામું કોઈ, રહસ્યની સુગંધ સાથે તે રોઈ.

બધાં મિત્રો ચોંકી ઊઠ્યાં, કોણે લખી હશે? પ્રશ્નો ફૂટ્યાં. શિક્ષક પણ સ્મિતે બોલ્યા, "વાંચો પહેલા, પછી વિચારશો."

ચિઠ્ઠીમાં લખ્યું હતું પ્રેમથી, "જ્ઞાનનો દીપ પ્રગટાવો હૃદયથી. નકલ નહીં, મહેનત કરજો, સત્યના માર્ગે સદા ચાલજો."

"મિત્રતામાં મીઠાશ રાખજો, કદી કોઈનું દિલ ન દુભાવજો. સમયનું મૂલ્ય ઓળખજો, માતા-પિતાનું માન વધારજો."

આખો વર્ગ મૌનમાં ડૂબ્યો, દરેક વિદ્યાર્થી વિચારોમાં ખૂંપ્યો.અજાણ્યો લેખક દેખાયો નહીં, પણ સંદેશ હૃદયમાંથી ગયો નહીં.

કોણે લખી એ વાત રહી અધૂરી, પણ શીખ બની ગઈ ખૂબ જ પૂરી. અજાણી ચિઠ્ઠીનું એ દાન, જીવનભર રહેશે અમૂલ્ય જ્ઞાન.

Read More