The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દશા તમારી અંતિમ ક્ષણોમાં કંઇક આમ હોવી જોઈએ..., સ્વાગત માટે સ્વર્ગમાં પણ દોડધામ હોવી જોઈએ.. - B Gov Of Guj
ગામ આખાની બળતરા હોય છે, હાથ માં એનાજ ગજરા હોય છે ! પાય છે પાણી બધાને હોંશે થી, એના જીવનમાં કા પથરા હોય છે..? ભૂખ લાગી હોય આખી થાળીની, મુઠ્ઠીમાં જુઓ તો મમરા હોય છે.. મોત તો આવી અને ચાલ્યું જતું, જિંદગી.! તારા જ નખરા હોય છે.. હોય છે જે સાવ સીધા અને સરળ, પ્રશ્ન એના બહુ અઘરા હોય છે.. જેમની પાસે સમય હોતો નથી, અહીં ઘણાય એવાય નવરા હોય છે.. દૂરથી લાગે છે સોનું જે.., જાવ પાસે તો બગસરા હોય છે..
માણસ જ્યારથી ઇલેક્ટ્રોનિક ત્રાજવાના રવાડે ચડ્યો છે.... બસ ત્યારથી એ નમતું જોખવાનું ભૂલી ગયો છે....!!
શ્વાસની સાથે કદી ચાલ્યા નહીં મનથી મુક્તિ એટલે પામ્યા નહીં હા જવું તું મારે એના તરફ પણ ઈશારાથીય બોલાવ્યા નહીં ડુબવા માંથી બચ્યા લોકો ઘણા ને મકાનો પુર થી ભાગ્યા નહીં જાણીતા ને ઓળખી લીધા પછી , મેં અજાણ્યાને બહુ જાણ્યા નહીં . હું ઉછીના દેત નહીં આમેય પણ , કોઈએ પૈસા માંગ્યા પણ નહીં. માત્ર એને ત્યાં જ જોયું હોય છે , આયનાએ એને શરમાવ્યા નહીં.
તમને સમય નથી અને મારો સમય નથી , કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી ! વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે, અને યાદ રાખવું એ તમારો વિષય નથી! રોકી રહી છે તમને તમારી શરમ અને , મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી ! હું ઇન્તજારમાં અને તમે હો વિચારમાં, એ પણ છે શરૂયાત કે આખરી પ્રલય પણ નથી! એવું નથી કે એળે ગઈ મારી જંખના, એવું નથી કે સાવ તમારે હૃદય નથી!
ફક્ત જાગી જા, ત્યાગ રહેવા દે, તું બધે તારો ભાગ રહેવા દે... જાય છે તો બધું જ લઈ જા પણ, આ સ્મરણનો વિભાગ રહેવા દે... ઢાંક ચેહરો, ક્યાં તો બુજાવ દીવો. એક સ્થળે, બે ચિરાગ રહેવા દે... કોઈ વંટોળ ને કહી દો કે, ફુલ ઉપર પરાગ રહેવા દે... તું હૃદયથી જ કામ લઈ લે ફક્ત, ચાહવામાં દિમાગ રહેવા દે આગ હૈયામાં લાગી હોય તો લખ, માત્ર લખવાનીં આગ રહેવા દે...
તમે વૈરાગ્ય કર્યો કે ત્યાગ...? એ સમજવા માટે પેહલા એ નક્કી કરવું પડે કે ..!! તમે છોડી દીધું કે તમારે છોડવું પડ્યું..??
રાધા હશે ને એટલે પીંછું પડ્યું હશે , નક્કી હવા ને લાગણીનું જળ ચડ્યું ... આખાય વન લહેરાય પૂરા જોમથી જ તો , જો વાંસને સતસુરનું જીવતર અડ્યું હશે... વૃંદાવને આજે પણ ભીનાશ જોવું છું, કેવા વિરહની યાદમાં આંસુ પણ પડ્યું હશે ... ઈશ્વર પછી આવે ને સાક્ષાત દોડતો , એ ભોગ ધર્યા બાદમાં બાળક પણ રડ્યું હશે ... આ પાળીયા કઈ એમ તો પૂજાય નહીં , એકાદ જણ કંઈક સેકડો સામે લડ્યું હશે ... ને વીજળીમાં કેટલા યત્નો કરી લીધા, ગંગા સતી ને સાચકુ મોતી જડ્યું હશે ... ખાડો ભરો ઈચ્છા તનો ત્યાં માગતું રહે , કોને ખબર આ આયખું કેવું ધડ્યું હશે..
જે પસંદ હતું એનો અંત થઈ ગયો, અને પછી હું સંત થઈ ગયો..!!
"એક વખત નિર્ણય કરી લીધા પછી અફસોસ કરવો એના જેવી મૂર્ખામી બીજી કોઇ નથી. ઝુકાવ્યું છે તો લડી લેવાનું. સાચો પડે કે ખોટો, સફળ જાવ કે નિષ્ફળ, એ મારો નિર્ણય હતો.એવું સ્વીકારો.." - B________Gehlot
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser