Quotes by Arjunsinh Raoulji. in Bitesapp read free

Arjunsinh Raoulji.

Arjunsinh Raoulji. Matrubharti Verified

@arjunsinhraoulji.1465
(308)

ઉદાસીએ બારણે માર્યા ટકોરા
પાનખરે ફફડાવી પાંખો ઉડવા
બિલ્લીપગે બારીના કાચ હલ્યા
વસંતે આગમનની છડી પોકારી
---અર્જુનસિંહ.કે.રાઉલજી

Read More

આંખોમાં વર્ષે શ્રાવણ ભાદરવો
પરંતુ ઉરે ઉમંગ છલકાય
દીકરીને ભેટતાં જ બાપનું હૈયું કેટકેટલું પુલકિત થાય
---અર્જુનસિંહ .કે .રાઉલજી

Read More

ચાહું હું એક એવું અંજન ,જે આંજવાથી મન વાંચી શકું
એક એવી મહેફિલ જ્યાં પીધા વગર મન મૂકી નાચી શકું
---અર્જુનસિંહ.કે.રાઉલજી

Read More

એક જ ઘા ને ચીસાચીસ
કુહાડી કાઢે કોની રીસ
જંગલ આખું હંફાવીશ
જન્મદાતાને હરાવીશ
---અર્જુનસિંહ.કે,રાઉલજી

શમણામાં સતાવતા જંગલ અને મોરને તો ભૂલી શકું છું
પણ કાનમાં વારંવાર ગુંજતા ટહુકાઓનું હવે શું કરું હું !
---અર્જુનસિંહ.કે.રાઉલજી

Read More

મારી તો પહેલેથી જ ઇબાદતની આજ રીત છે
મંદિરો બધાં છોડીને માના ચરણમાં જ જીત છે
---અર્જુનસિંહ.કે.રાઉલજી .

કઠપૂતળીની જેમ ના નચાવો મને તો તમે
હું તો માત્ર માનવ છું કાઈ ઈશ્વર તો નથીને !
---અર્જુનસિંહ.કે.રાઉલજી.

ઇમારતોના કાંગરા ખરે ત્યારે પવન પણ ઉડાડી જાય છે
માનવતા મરી પરવારે ત્યારે પામરતા મીઠું મલકાય છે
-અર્જુનસિંહ.કે.રાઉલજી

Read More

મોત તું શીદને ડરે છે મુજથી ?
આવ , સમાઈ જા ખુદ મુજમાં
વીતી જશે રાત પણ ખુદથી
મહેરબાનીથી ના કર ખુદકુશી
----અર્જુનસિંહ કે રાઉલજી

Read More

આંખોમાં આંસુ અને દિલમાં વ્યથા છે
અફસોસ તે નથી કોઈ વિરહની કથા
----અર્જુનસિંહ કે રાઉલજી