Quotes by Arjunsinh Raoulji. in Bitesapp read free

Arjunsinh Raoulji.

Arjunsinh Raoulji. Matrubharti Verified

@arjunsinhraoulji.1465
(308)

શમણામાં સતાવતા જંગલ અને મોરને તો ભૂલી શકું છું
પણ કાનમાં વારંવાર ગુંજતા ટહુકાઓનું હવે શું કરું હું !
---અર્જુનસિંહ.કે.રાઉલજી

Read More

મારી તો પહેલેથી જ ઇબાદતની આજ રીત છે
મંદિરો બધાં છોડીને માના ચરણમાં જ જીત છે
---અર્જુનસિંહ.કે.રાઉલજી .

કઠપૂતળીની જેમ ના નચાવો મને તો તમે
હું તો માત્ર માનવ છું કાઈ ઈશ્વર તો નથીને !
---અર્જુનસિંહ.કે.રાઉલજી.

ઇમારતોના કાંગરા ખરે ત્યારે પવન પણ ઉડાડી જાય છે
માનવતા મરી પરવારે ત્યારે પામરતા મીઠું મલકાય છે
-અર્જુનસિંહ.કે.રાઉલજી

Read More

મોત તું શીદને ડરે છે મુજથી ?
આવ , સમાઈ જા ખુદ મુજમાં
વીતી જશે રાત પણ ખુદથી
મહેરબાનીથી ના કર ખુદકુશી
----અર્જુનસિંહ કે રાઉલજી

Read More

આંખોમાં આંસુ અને દિલમાં વ્યથા છે
અફસોસ તે નથી કોઈ વિરહની કથા
----અર્જુનસિંહ કે રાઉલજી

માણસ પહેલીવાર ભૂલ કરે તો તે અજાણતાં થયેલી ભૂલ જ ગણાય અને તેને માફી આપવી જ પડે , બીજી વાર ભૂલ કરે તો તે જાણી જોઈને કરેલી ભૂલ ગણાય તેને માફી પણ આપવાની અને શિક્ષા પણ કરવાની પણ જો ત્રીજી વાર ભૂલ કરે તો તે ભૂલ નથી , જાણી જોઈને કરેલો ગુનો જ છે તેની માત્ર શિક્ષા જ મળે
---અર્જુનસિંહ .કે .રાઉલજી

Read More

અલ્પ વિરામ અને પૂર્ણવિરામ વચ્ચે હું એવો અટવાયો કે જાતે જ પ્રશ્ર્નાર્થ બની ગયો
આશ્ચર્ય અને અવતરણની શોધમાં જગતે મને એક વિરાટ આશ્ચર્ય બનાવી દીધો
----અર્જુનસિંહ કે રાઉલજી

Read More

મીઠાં જળની માછલી જળમાં રહે તો સારું છે
હવામાં ઉડવા માંડે તો જગ માટે તો પ્યારું છે
હવા અને પાણી માટે તો એ વધારે ન્યારું છે
માનો કે ના માનો માછલી માટે તો ખારું જ છે
---અર્જુનસિંહ કે રાઉલજી

Read More

દયા વગરની થઇ ગઈ હવે તો દુનિયા સારી
લડી લડીને લીધી'તી તે પણ ના રહી પ્યારી
---અર્જુનસિંહ કે રાઉલજી