ધરાના ગુમ થઇ ગયા પહેલાં આપણે જોયું હતું કે,અગ્નિ મહોત્સવમાંથી રેતમહેલમાં આવ્યા પછી હેત્શિવાએ નિલક્રિષ્નાની પૃથ્વી પર જવાની તૈયારીઓ કરી રહી હતી.
રેતમહેલમાં સમયસર ધરા ન પહોંચતાં હેત્શિવાએ સમુદ્રની બધીજ દિશામાં એની શોધ પણ શરૂ કરી દીધી હતી.પરંતુ ધરા ક્યાંય પણ દેખાઈ રહી ન હતી.અને સમુદ્રક પણ આખાં અરબ સાગરમાં ક્યાંય નજરે ચડતો ન હતો.ઘણીબધી શોધ કર્યા પછી પણ હેત્શિવા એ બન્નેની ભાળ ક્યાંય મેળવી શકાતી ન હતી. કોઈને હદયના તાર એ બન્ને સાથે જોડવાનો વિચાર નહોતો આવતો. કેમ કે, હદયનો સંબંધ કેનો કોની સાથે છે. એ રાજ હજુ રાજ જ હતું. આ પાનું ખુલ્યું જ ન હતું. તેથી અફાટ સાગરમાં કોઈ સંપર્ક ન સંધાતા સમુદ્રક અને ઘરાનુ મળવું નામુમકીન હતું. પૃથ્વી પર નિલક્રિષ્નાને સાથ ને સુરક્ષા મળી રહે એ માટે એક માત્ર સહારો ધરા જ હતી.એ પણ હવે સમુદ્રમાં ક્યાંય નજરે ચડતી ન હતી.એટલે હેત્શિવાને નિલક્રિષ્નાની વધારે ચિંતા થવા લાગી ગઈ હતી.
નિલક્રિષ્નાના પૃથ્વીગમનનો સમય નજીક આવી ગયો હતો.સમુદ્રમાંથી પૃથ્વી પર નિકળવાની પૂરી તૈયારીઓ થઈ ગઈ હતી.રેતમહેલની બધી રાક્ષસી પ્રજાને મળ્યા બાદ નાની ફીસ વિશ્વા તેની હારે પૃથ્વી પર જવા માટે ચીપકી ગઈ હતી.એ બધાનાં કહેવાથી પણ એ એને છોડી રહી ન હતી. માંડ માંડ વિશ્વાએ નિલક્રિષ્નાને છોડી ! જતાં જતાં નિલક્રિષ્ના વળી વળીને રેતમહેલને મનભરીને જોઈ રહી હતી.ત્યાં જ એની સાવ લગોલગ સોમ સુરક્ષા ચક્ર આવીને ગોઠવાઈ ગયું. સોમચક્ર હેત્શિવા અને નિલક્રિષ્નાની પાસે આવતા એણે રેતમહેલ છોડીને એમાં પ્રવેશ કરી દીધો.
હેત્શિવાએ પોતાની શક્તિ દ્વારા સોમચક્ર બનાવ્યું હતું.આ સોમચક્રનુ સુરક્ષા કવચ ઉગમણી દિશા સુધી ગોઠવાયેલું હતું.આખાં કવચમા એણે નાના મોટા જળચર પ્રાણીઓની આખી ફોજ પોતાની શક્તિ દ્વારા બમણી બનાવી એ રીતે ગોઠવી હતી કે વચ્ચેનાં વ્યક્તિને કોઈ અડી પણ ન શકે. અફાટ સાગરનું એક મોજું સાગરની ગહેરાઈની તાકત લગાવી ઉંચે ઉછળ્યું.અને સોમચક્રએ એની વચ્ચોવચ રસ્તો ગોઠવ્યો.રસ્તો બનતા જ એ આગળ વધતું જતું હતું,અને એ રસ્તાની સુરક્ષા માટે આસપાસનાં મોટા પથ્થરો સોમચક્રને જવાની જગ્યા આપતા ફરતે ગોઠવાઈ જતાં હતાં.આમ હસતાં રમતાં બન્ને દરિયાની સપાટીથી ઉપર ઉઠી થોડાં દિવસોમાં પૃથ્વી પર પહોંચી ગયાં.આ સંબંધને બંધન કે કોઈ નામ ન હતું.છતાં લાગણીઓ ભરપુર દેખાતી હતી.સોમ ચક્રનું પૃથ્વી ઉપર પહોંચવાની તૈયારી થઇ રહી હતી.બધાં સેવકો એની હાજરીમાં ઉભા હતા.પાણીની ગહેરાઈઓને તોડીને સોમ ચક્ર પૃથ્વી પર જવા ગતિ વધારી રહ્યું હતું.સમુદ્રને છોડીને પૃથ્વી ગમન માટે નિકળેલા એ બંને હવે થોડી જ ક્ષણોમાં પૃથ્વી પર પહોંચવાના હતાં.
થોડા જ સમયમાં હરિતવર્ણી પૃથ્વી એની નજર સમક્ષ પ્રગટ થઇ રહી હોય એમ ધીમે ધીમે દેખાવા લાગી ગઈ હતી.પૃથ્વી પરનું આ અનુપમ દ્રશ્ય સ્વર્ગથી પણ સુંદર સુખમયી લાગી રહ્યું હતું.ઝરણાં તળાવ,નદીઓ બધુંજ સ્પષ્ટ રીતે દેખાય રહ્યું હતું.
" પૃથ્વીનું આ સૌંદર્ય હું કોઈ પણ કાળે વિખાવા નહીં દઉં. પૃથ્વીની કોઈ પણ વસ્તુને નુકસાન થતું હું અટકાવીશ" નિલક્રિષ્ના મનોમન આમ બોલી ઉઠી.પરંતુ આમ બોલવા પાછળનું તથ્ય એ પોતે પણ જાણતી ન હતી. જે સત્ય જ હતું એ જ શબ્દો નિકળી રહ્યાં હતાં.
આમ,નિર્ધારિત કરેલી જગ્યા પર ગીર સોમનાથનાં ગાઢ જંગલો વચ્ચે સોમચક્રએ ગતિ ધીમી કરીને લેન્ડિંગ કરવાં માટે એક સુરક્ષિત સ્થાન ગોત્યું.એ સ્ટોપ થતાં જ ઉપરથી દરવાજો ખુલ્યો અને હરિતવર્ણી ધરતીનાં સાક્ષાત્ દર્શન થયા સોમચક્રમાંથી બહાર નીકળી ને ઉંડા શ્વાસ ભરી આ અલગ દુનિયાને મન ભરીને નિલક્રિષ્ના માણી રહી હતી.
અને સુરક્ષિત રીતે પૃથ્વી પર પહોંચી જવાથી હવે હેત્શિવાને પણ થોડી નિરાંત થઈ ગઈ હતી.
નિલક્રિષ્નાને હુબહુ એનાં જેવાં માણસો દેખાતાં હતાં,ત્યાંરે પૃથ્વી પર પગ મુકીને એને માણવાનું પણ મન થયું.અને પગ મુકતા પહેલા સંકોચ પણ થયો.સાથે હસવું પણ આવ્યું કે,"અહીં લેશમાત્ર પાણી દેખાતું નથી, તો હું એક જગ્યાએથી બીજી જગ્યાએ કેમ જઈ શકીશ?" હેત્શિવાને મહાદેવે એવી શક્તિ આપી હતી કે,જેનાં દ્વારા પૃથ્વી પર આવીને એક ઉડતું પાણીનું તળાવ એ
ગોઠવી શકી હતી.એ તળાવમાં રહીને પૃથ્વી પર એ કોઈ પણ સ્થળે ઉડીને પહોંચી શકતી હતી.અત્યારે તો નિલક્રિષ્ના એ ઉડતા તળાવમાં રહીને પૃથ્વી પરનું અનુપમ સૌંદર્ય માણી રહી હતી.ને એની સાથે પૃથ્વી પર આવ્યા પછી આ ઋતુચક્ર સાથે કુદરતનાં જુદા જુદા બદલાતાં વેશ એને આશ્ચર્યચકિત કરી રહ્યા હતાં.એને એ તળાવમાંથી બહાર નજર કરી તો ચારેકોર હરિયાળી અને પર્વતની ટોચેથી વાદળોની અવરજવર થતી જોઈ.આ બધું એને અવર્ણનીય આનંદ આપતું હતું. આ સૌંદર્ય એટલું અનુપમ હતું કે, એ એને આંખોથી પી રહી હતી.
આ બધું નિહાળી રહેલા બાબા આર્દ એની નજીક આવી રહ્યા હતાં. એનાં ચહેરા પર અનેકગણી કરચલીઓ વધી ગઈ હતી.આંખો પણ સાવ ઉંડી વય ગઈ હતી.અને ઝૂકેલી કમરથી ડોકી ઉંચી કરી બાબા આર્દ નિલક્રિષ્નાની પાસે આવીને આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું કે,
"પુત્રી તું કોણ છે? વર્ષો પછી આવું એશ્વર્યથી પરીપૂર્ણ રૂપ કોઈનું હું જોઈ રહ્યો છું."
આ સાંભળી હેત્શિવા એને ઓળખી ગઈ.અને એ સમજી ગઈ મહાદેવનો ઈશારો, જે જગ્યાએ પહોંચવાનું હતું નિલ ક્રિષ્નાને એ એજ ઠેકાણે પહોચી ગઈ હતી.બાબાને જોતાં હેત્શિવાએ કહ્યું કે,
" તમે અમારી મદદ કરશો ?"
"હું વૃધ્ધ! મારું અકાળ મૃત્યુ ક્યારે આવે એ નક્કી નથી.
હું પોતાને પણ સંભાળી શકતો નથી.તો તમારી શું મદદ કરી શકવાનો..!"બાબા આર્દે ધ્રુજતા,લથડતાં સ્વરે જવાબ આપ્યો.
આમ,થોડી વાતો થય ત્યાંજ હેત્શિવા સામું નજર કરતાં બાબા આર્દ એને ઓળખી ગયાં.અને પોતાની વાત કહેવા લાગ્યા.એ ધ્યાન છોડીને જંગલમાં એટલે જ ભટકી રહ્યા હતા.કે એક દિવસ સોમ સુરક્ષા ચક્ર અહીં આવીને ઉભું રહેશે. પરંતુ એ સોમ સુરક્ષા ચક્રને જોઈ શક્યા નહીં. તેથી એને ખબર જ ન પડી કે, હેત્શિવા અને નિલક્રિષ્ના બન્ને પૃથ્વી પર પહોંચી ચુક્યા હતાં.એ જાણ બાબા આર્દને થય નહીં.પૃથ્વી પર આવીને નિલક્રિષ્નાને પૃથ્વી વિશેનું જ્ઞાન આપવાનું હતું. કેમ કે,આજ સુધી એ સમુદ્રમાં જ રહી હતી. એટલે પૃથ્વી વિશે એ જાણતી ન હતી.
પૃથ્વી પર આવ્યા પછી નિલક્રિષ્નને થોડા દિવસોમાં હાલવા ચાલવા,બેસવા,ખાવા પીવા,સુવા,રહેવાનું સામાન્ય જ્ઞાન અને સાથે દિવ્ય શક્તિઓનો વિદ્યાઅભ્યાસ કરાવવા માટે બાબા આર્દે એક સુરક્ષિત જગ્યા બનાવી હતી.પૃથ્વી પર આવ્યા પછી નિલક્રિષ્નાએ જલપરીમાંથી મનુષ્ય જેવું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આજ નિલક્રિષ્નાનાં અલૌકિક રૂપનાં સાક્ષાત દર્શન કરીને બાબા આર્દની ભવોભવની તપસ્યા પૂર્ણ થઈ ગઈ હતી.
બાબા આર્દે તપસ્યા કરીને કોઈપણ વસ્તુ અલોપ રાખવાની શક્તિ મેળવી હતી.હવે એ શક્તિઓ દ્વારા પોતે પણ અલોપ થઈ શકતાં હતાં. હેત્શિવાને બાબા આર્દે કહ્યું કે, "નિલક્રિષ્નાને એવી જગ્યાએ છુપાવીને રાખવી પડશે જ્યાં પહોંચવા માટે વૃજા રાક્ષસીની ચાલ ટુંકી પડે."
આ જંગલ વિસ્તારમાં જ મહાદેવે નિલક્રિષ્નાને પૃથ્વી પરનું જ્ઞાન આપવા માટે બાબા આર્દને ગુપ્ત ઝૂંપડી (કુટીર) બનાવવાની શક્તિઓ ધ્યાન યોગ દ્વારા જ આપી દીધી હતી.બાબા આર્દને મળેલી આ શક્તિઓ મહાદેવનું રાત દી' ધ્યાન કરવાનું જ ફળ હતું.
દુરથી આ એક સામાન્ય ઝુંપડી દેખાતી હતી.અને અંદર આ ઝુંપડીમાં બાબા આર્દે યોગી શક્તિ દ્વારા પૃથ્વી જેવી જ બીજી દુનિયા બનાવી હતી.હેત્શિવા, નિલક્રિષ્ના અને બાબા આર્દ ત્રણેય એકસાથે એ કુટીરમાં પ્રવેશી ગયાં.અહીં પણ પૃથ્વીની જેમ જ મનુષ્યો જ રહેતાં હતાં.ઝુંપડીમાં પ્રવેશીને નજર કરતાં જ અનેક સરોવરો,ડુંગરો,ઝરણાંઓ વગેરેનું અદભૂત સૌંદર્ય એની આંખ સામે દેખાવા લાગ્યું. બાબા આર્દ થોડાં જ દિવસોમાં નિલક્રિષ્નાને પૃથ્વી વિશેની માહિતી આપવાની પૂર્વ તૈયારીઓ પહેલેથી જ કરી લીધી હતી.એ માટે એને પોતાના જ્ઞાનનો પોટલો ખોલ્યો.
(ક્રમશઃ)
- હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા" ✍️