Neelakrishna - Part 18 in Gujarati Anything by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 18

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 18

( આગળનાં ભાગમાં આપણે જોયું કે બાબા આર્દ નિલક્રિષ્નાના જન્મ વિશેની સત્ય હકીકત એનાં મુખેથી જણાવી રહ્યા હતાં.તો આગળ અહીં બાબા આર્દના શબ્દોમાં જ હજુ એ જ અધુરી હકીકત જાણીએ.)

બાબા આર્દ : "આમ તો રોજ ૭ વાગ્યાથી સાંજે ૯:૩૦ સુધી મંદિરનાં દ્વાર ખુલ્લાં રહેતા.પરંતુ એ રાત્રે મંદિરનાં દ્વાર માત્ર ૨:૩૦ પછી થોડી કલાકો પુરતાં જ બંધ થયા હતાં.આ જ્યોતિર્લિંગને બીજી પુંજા માટે અલંકૃત કરાવામાં આવી રહ્યું હતું.તેથી મંદિરનાં જ્યોતિર્લિંગ પરથી પહેલાં કરેલો ફુલોનો શણગાર ઉતારી નાખવામાં આવ્યો હતો.આ ઉતારેલા વાસી ફુલોનો ઢગલો શિવરાત્રીની રાતે ત્યાંને ત્યાં જ રહી ગયો.એ વાસી ફુલોના ઢગલામાં એવા કિડાં ઉત્પન્ન થયા કે,એ એક સાથે એક જોડાઈને માનવ દેહ જેવી આકૃતિમાં જોડાવા લાગ્યા.

    લગભગ વહેલી પરોઢના પાંચ વાગ્યા હતાં.પંડીતજી પ્રાત:કાળની આરતીની તૈયારી કરવા માટે,નવાં વસ્ત્રો,ને ફુલોથી સજાવવા થોડો ઘણો બાકી રહેલો શૃંગાર કરી શિવલિંગને અલંકૃત કરી રહ્યા હતાં.આખી રાતનો થાક ભુલી એ મહાદેવનાં શૃંગારમાં એટલાં તલ્લીન થઈ ગયા હતાં , કે એની નજર આસપાસ શું છે એ પણ જોઈ શકતી ન હતા.એ બંધ દરવાજે જ એ સવારના પહોરમાં કરવામાં આવતા મંત્રોનો જાપ કરવા લાગી ગયા હતાં. પંડીતજી શાંત ચિત્તે બંધ દરવાજે એક શ્વાસે મંત્રોનું રટણ કરી રહ્યા હતાં.

"ૐ નમઃ શિવાય! ૐ નમઃ શિવાય!  ૐ નમઃ શિવાય!"

    ૧૦૮ મંત્રની માળા કર્યા બાદ પંડીતજી રુદ્રાક્ષની એ માળા શિવલિંગ પર અલંકૃત કરી રહ્યા હતા, ત્યાં અચાનક તેની નજર તે વાસી ફુલોનાં ઢગલાં ઉપર પડી.એક મને તો એણે તરત જ એવું  વિચારી લીધું કે, "આ વાસી ફુલ અહીંથી ઉપાડવાના બાકી રહી ગયા છે."  અને બીજું મન જે જોઈ રહ્યું હતું એ દ્રશ્ય બ્રહ્માંડનાં કોઈ ખૂણામાં ન જોવા મળે એવું અલૌકિક દેખાઈ રહ્યું હતું.

    બંને આંખો ચોળીને ફરી એને સરખાયે જોયું,તો પણ એ ફુલની પથારી પર મધુર સ્મિત કરતું મનોહર મુખ એની આંખ સામે રમી રહ્યું હતું.આ બાળ સ્વરૂપ સાચાં હીરાની માફક એ પંડીતજીની આંખ સામે ચમકી રહ્યું હતું.આ નાનું નિલક્રિષ્ના સ્વરૂપ પ્રગટ થયેલું જોઈ એનાં રોમેરોમ પુલકિત થઇ રહ્યાં હતાં.

થોડીવાર તો આ નાની બાળકી પ્રભુનું વરદાન છે,એ હકીકત એનું મગજ સ્વીકારી શકતું જ ન હતું. આ ચમત્કારીક રૂપને જોઈને પંડિતજી વિસ્મયમાં પડી ગયા હતાં કે, 

"આ મહાદેવનો કેવો સાક્ષાત્કાર છે. હર હર મહાદેવ!"

   આટલું નાનું સુંદર સ્વરૂપ,એક ફુલ હાથમાં લઈને જાણે જ્યોતિર્લિંગ પર ચડાવવાની ચેષ્ટા કરી રહ્યું હતુ.મને ધ્યાનમાં જ આ બધું દેખાય રહ્યું હતું.હું એ બંધ દ્વારમાં જ પંડિતજી પાસે પહોંચી ગયો.

   શ્રીકૃષ્ણ એ જ્યારે પોતાની બધી લીલાઓનું સમાપન કર્યું હતું.ત્યારે સોમનાથ આવીને જ એણે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો.કારણ કે એને આ જ્યોતિર્લિંગમાં પ્રસિધ્ધ સ્યામંતક મણી છુપાવવી જરૂરી બની ગઇ હતી. કેમ કે, સોનું ઉત્પાદન કરતી આ મણીનુ મહત્વ માત્રને માત્ર શ્રીકૃષ્ણ સાથે જ જોડાયેલું હતું. પરંતુ આ મણિ તો શ્રાપિત હતી.તેથી જો એ મણિ પૃથ્વીમાં કોઈને મળી જાય તો પૃથ્વીનો વિનાશ રોકી ન શકાય.આ બાળકીનાં માથા પર ચમકતો ડાયમંડ જેવો ચાંદલો એ સ્યામંતક મણી છે કે શું ?

હું જાણું છું ત્યાં સુધી સ્યામંતક મણીનો વારસદાર હજારો વર્ષો પહેલાં જન્મી ચૂક્યો હતો.શરત મુજબ તો સ્યામંતક મણી બે દેવતાનાં મિલન દ્વારા ફરી પ્રગટ થવાની હતી.દાનવોએ જ વિરુદ્ધનાં દેવતાનું મિલન કરાવી કેવો વિનાશ નોતર્યો હતો.દાનવોનું એ ષડયંત્ર મને હજુ યાદ છે, એ કેમ ભુલાઈ...!હજારો વર્ષો પહેલાં પૃથ્વીનો વિનાશ કરી નાખ્યો ત્યારે જ દાનવોને શાંતિ વળી હતી.

આ બાળકી કોઈ દેવતાઓનું મિલન છે કે શું એ હું સમજી શક્યો ન હતો.કેમ કે, એ ફુલોના ઢગલામાંથી અમને આ નવજાત શિશુ પ્રાપ્ત થયું. ત્યાં આસપાસ કોઈ દેવતા નજરે ચડ્યા ન હતાં. પરંતુ આ મણિનો પ્રકાશ જોઈ એમ થતું હતું કે આ કોઈ દેવીય સંતાન છે.પરંતુ એની સચાઈ હું હાલ જાણતો ન હતો.

એનાં માથાં પર સ્યામંતક મણી હતી કા તો નિલમણિ હતી.એ મને પૂર્ણ રીતે ભાસ થતું ન હતું.આ બ્રહ્મા,વિષ્ણુ,મહેશે સાથે કરેલી કોઈ મોટી લીલા છે.હું જાણું છું કે,આની પાછળ પૃથ્વીનું હીત જ છુપાયેલું હશે.આ બાળકીનાં જન્મનું રહસ્ય બીજું કોઈ જાણી ન શકે,ને કોઈને ખબર પણ ના પડે એ અમારા માટે હવે ખાશ જરૂરી બની ગયું હતું.કેમ કે,જો લોકોને ખબર પડે તો કોઈ સાચું માને કોઈ ખોટું ! વાતનું વતેસર થાય.લોકોની ખોટી ભીડ વધે.માટે સોમનાથમાં પણ કોઈને ખબર ન થવી જોઈએ.જો બધે વાત ફેલાઈ અને કોઈ દૃષ્ટ માયા અહીં આવી પહોંચે તો નિલક્રિષ્નાનું રક્ષણ કેમ થઈ શકે ? એમ‌ વિચારી આ વિષયમાં સાવધાની રાખવાનું અમે વિચાર્યું.પંડિતજી મને હવે હરેક વાતમાં સાથે રાખીને આગળ વધી રહ્યા હતા.એ સત્ય જ છે કે,સોમનાથ મંદિરનાં પુજારીએ મહાદેવે આપેલા આ નિલક્રિષ્ના રૂપી પ્રસાદને વીસ વરસ પહેલાં મારી આંખ સામે જ સ્વીકાર્યો હતો.આ બાળકીની શક્તિઓ સાચી દિશામાં વળે એ માટે એને હેત્શિવા સુધી પહોચાડવી જરૂરી હતી.આમ કરવાં માટે મેં ને પંડિતે એક યોજના બનાવી,સોમનાથ મંદિરમાં જ એ બાળકીનાં ફરતે સુરક્ષા કવચ ગોઠવી દીધું.એના રક્ષણ માટે આસપાસ આછું હવાનું પળ લગાવી,કોઈની નજરમાં એ બાળકી ન આવે એવી રચના બનાવી દીધી.

   એ બાળકીનાં જીવનની સચ્ચાઈ માત્ર હું જ યોગ સાધના દ્વારા જોઈ શકતો હતો.હું જાણતો હતો કે, 
'નિલક્રિષ્નાનાં જીવનમાં અનેક મુશ્કેલીઓ આવશે.આ બધી મુશ્કેલીઓનો સામનો કરવા અને એને વધુ મજબૂત બનાવવા માટે રાક્ષસી હેત્શિવા પાસે એને દરીયાઇ જ્ઞાન આપવું જરૂરી બનશે.'નાની નિલક્રિષ્ના હજું ત્રણ દિવસની થઈ હતી.ત્યાંરથી એનાં ઉપર  સંકટનાં વાદળો ઘેરાવા લાગ્યા હતાં.નિલક્રિષ્નાને સલામત રાખવી દિવસે ને દિવસે અઘરું બની રહ્યું હતું.એની રક્ષા હેતુ મેં હવાનું આવરણ એનાં પર ગોઠવીને એક સુરક્ષાચક્ર તો બનાવ્યું જ હતું.પરંતુ કોઈ દૃષ્ટ માયા માટે આ ચક્ર તોડવું કંઈ અઘરી વાત ન હતી.મને એ વાતનો ડર રહ્યા કરતો હતો.

    એક દિવસ વૃજા રાક્ષસી સોમનાથમાં પ્રવેશી અને મંદિર તરફ આવવા લાગી.ત્યાં જ અચાનક મારું ધ્યાન ગયું પરંતુ,વૃજા અતિ ઝડપથી મારાં સુધી ઝડપ આવી પહોંચી.એનાં આવાં વલણથી જ મને ખબર પડી ગઈ હતી કે, "આ વૃજા નિલક્રિષ્નાનાં ઉછેર માટે યોગ્ય નથી."હું એને રોકવા જઉ એ પહેલાં પવન માર્ગથી એ આવી,અને મારાં શ્વાસને ભ્રમમાં મૂકી ગઈ.તેથી હું ભ્રમિત થઈ ગયેલો કંઈજ કરી શક્યો નહીં. 

    "માત્ર હું જ આ બાળકીની રક્ષા કરી શકું છું."

એમ કહીં વૃજા નિલક્રિષ્નાને સોમનાથ મંદિરનાં પંડીત પાસેથી પવનમહેલમાં લઈ ગઈ.હું એનાં ભ્રમજાળ માંથી
નીકળું એ પહેલાં જ વૃજા નિલક્રિષ્નાને પવનમહેલમા લઈ જવાં માટે,એ મહેલની દિશામાં પુરજોશથી ઉડવા લાગી ગઈ.રસ્તામાં એકદમ પાછળ વળી વળીને અટ્ટહાસ્ય કરતી જતી હતી.અને મોટાં મોટાં એનાં ગલ્લોભાઓ ફુગ્ગાની જેમ ફુલાવતી જતી હતી.પાંખો ફેલાવીને વાદળોની વચ્ચે જોતજોતામાં એ અદ્શ્ય થઈ મારી આંખ સામે જ સરકી ગઈ.આ રાક્ષસીનું મગશદ નિલક્રિષ્નાનાં જીવનનાં માર્ગને ભટકાવવાનું હતું.પરંતુ એનાં સુધી પહોંચવા મારી શક્તિઓ સમર્થ ન હતી.પછી મેં બધું મહાદેવ પર છોડી દીધું.અને મહાદેવે જ આગળની રચના ગોઠવી દીધી.

એક દિવસ પવન મહેલથી પસાર થતી હેત્શિવા રાક્ષસીનાં વાળની લટોએ જોયું કે, 

"શેતાન વૃંજા નિલક્રિષ્નાને રાક્ષસી વૃતિ શીખવી રહી છે."

   પવનમાં સુકાતી હેત્શિવાનાં વાળની લટોએ આ વાતની જાણ સમુદ્રનાં ઉંડાણમાં જઈને એનાં કાનમાં કરી સંભળાવી.આ વાતની જાણ થતાં જ હેત્શિવા તરત જ સમુદ્રમાંથી બહાર નીકળીને પવન મહેલમાં પહોંચી ગઈ.ત્યાં આવીને એને જોયું કે,"નિલક્રિષ્નાનાં જીવનનાં માર્ગને વૃજા અસત્ય તરફ વાળી રહી છે." 

નિલક્રિષ્નાની જિંદગીને સાચું મગશદ આપવા માટે,એને ત્યાંથી છોડાવવા માટે,હેત્શિવા શેતાન વૃજા હારે દ્વંદ્વ યુધ્ધ કરવા પડકાર નાખ્યો.વૃજા અને હેત્શિવા બન્ને વચ્ચે દ્વંદ્વ યુધ્ધનો આરંભ થયો.  

    હેત્શિવા મુશળધાર પાણીનાં ધોધ વૃજા પર એકધારે ફેંકવા લાગી,ને વૃજા પણ એ પાણીને પ્રચંડ પવનથી પોતાના પર આવતું અટકાવવા લાગી ગઈ.આમ બને વચ્ચે હવા અને પાણીનું યુધ્ધ થવા લાગ્યું.હવાને પાણીના આ યુદ્ધથી પૃથ્વી પર પણ‌ વાવાઝોડા સાથે વરસાદ અને દરિયાઈ વિસ્તારોમાં સુનામીનાં મોજાં ફરવા લાગ્યા.આમને આમ એક અઠવાડિયા સુધી રહેતા ઘણા માણસો ભુખ તરસ અને પાણીનાં સેલાબથી ડુબતા, પીડાતા મોતને ઘાટ ઉતરવા લાગ્યાં.હેત્શિવા પૃથ્વીનું આ દ્રશ્ય જોઈ શકતી ન હતી.પરંતુ સવાલ આજ પૃથ્વીના ભવિષ્યનો હતો.આવી થોડી જાજી સુનામી પૃથ્વીનું કહી જ બગાડી શકે એમ ન હતી.

"પરંતુ જો નિલક્રિષ્નાનો ઉછેર ખોટાં હાથમાં જશે તો
પૃથ્વીનું બચવું અશક્ય છે." અતિગંભીર સ્થિતિ પ્રગટ થાય એ પહેલાં મળેલ તક હેત્શિવા ઝડપી લેવા માંગતી હતી.આમ,પણ એ જાણતી હતી કે, 

(ક્રમશઃ)

- હેતલ ઘેટીયા "કૃષ્ણપ્રિયા" ✍️