એની જવાબદારી પૂરી થઈ અને મારી સાચી જિંદગી કદાચ હવે શરૂ થઈ... વાતની શરૂઆત માં જ આવું વાક્ય કેમ કે અત્યાર સુધી ક્યાંક ખોટ હતીએવું લાગતું, જે હજુ પણ એની એ જ વર્તાય છે, પણ હવે પોતાની જાતને સાંભળતા અને સંભાળતા બંને શીખી ગઈ છું. હા, અઘરું છે સહેલું નથી કેમ કે હસતાં હસતાં મનમાં આંસુ છુપાવ્યા છે. આદત બની ગઈ છે એટલે એવું નહીં કે લાગણી ઓછી થઈ પણ એમ માન્યું કે એ ખાલી મને હકીકત થી મળાવવા આવ્યો હશે ને હું થોડુંક વધું જ વિચારી ગઈ.
આમ કહેવાયને કે જ્યારે પોતાની તાકાત પૂરી થઈ જાય ત્યારે ભગવાન સામું જોય ને કોઈને સંભાળવા મોકલે છે, કદાચ એમ જ થયું છે મારી સાથે. Stress, depression, anxiety અને છેલ્લે આવે insomnia.... આમ તો હવે આ શબ્દો કે એની અનુભૂતિ હવે કોઈથી અજાણ નથી રહી તો પણ કહું k શરૂઆતમાં મન અને મગજ બંને ભારે લાગે, પછી ક્યાંય પણ ગમે નહીં કોઈ વાત કે કામ ક્યાંય ધ્યાન ન રહે, પછી એવું થાય કે પોતાની જાત નું પણ ભાન ના રહે જાણે કોઈ લાગણી ના અનુભવાય અને ઘણીવાર અનંત સુધીની જાણે અઢળક લાગણી એકસાથે અનુભવાય અને ત્યારે રડવું આવે પણ આંસુ જાણે આંખ માં જ છુપાય રહે, અને છેલ્લે આ બધું એક જ સાથે થાય અને ઊંઘ તો જાણે જતી જ રહે, અને ત્યારે એ રાતની સવાર પણ કેમ થાય એના માટે કોઈ ચોક્ક્સ શબ્દ નથી કેમ કે એ અનુભૂતિ એટલે એવું કે જાણે આત્મા તો હારી જ ગઈ છે જીવવા નો કોઈ આધાર નથી, અને આધાર વગર જીવવું કેમ.....?
છેલ્લે સુધી પોતાની જાતને સમજાવી હોય પણ પછી એના હાલ પર મૂકી ને બ્રહ્માંડને કહી દીધું કે હવે તારે સંભાળવું હોય તો સંભાળ હવે આ સ્નેહલ માં હિંમત નથી ફરીથી કોઈ કારણ શોધવાની.... ને ત્યારે એણે સાંભળી ને સંભાળી લીધું હશે જાણે એણે જ આવીને મને સમજાવી દીધું, મન ની બધી જ વાતો કહી એણે મોકલેલા એ મારા કરતાંય મને સાંભળનાર ને, એ દિવસ પછી ઊંઘ તો શરૂ થઈ એટલી નિરાંત તો આવી...... ખબર નથી એ મારી હકીક્ત બનશે કે નહીં, પણ કદાચ એને આપેલું કામ કરીને એ અદ્રશ્ય પણ થઈ જાય તો કોને ખબર, અને હું કાયમ માટે મૌન શીખી ગઈ.... કોઈ ફર્ક નથી પડતો બસ જીવું છું આ લાગણીના મૃગજળ માં..... અનંત અને અઢળક લાગણી જેવો છે, પણ મારી પાસે કે મારા માટે છે એટલું કહેવાનો હક નથી મારી પાસે...
આખરે તો જીદ નહીં પણ સમજણ કે જ્યારે હારી જવાય ત્યારે બ્રહ્માંડ પણ સમજે છે, એ તો સંભાળી જ લેશે પણ લાગણી જેવો આ શબ્દ સહેલો નથી, ગમે એટલા વ્યસ્ત થઈને પણ એ યાદ આવી જાય, ને ત્યારે એના ના હોવાની વાતની હતાશા કરતાં એમ માન્યું કે એને ફરી એકવાર મને મનથી મજબૂત બનાવી મૌન શીખી ગયા પછી અઘરું લાગે પણ પેલા stress થી લઈને insomnia જેવું ના થાય, ઊંઘ સુકુન થી આવી જાય, અને પછી એમ થાય કે જો એના તરફ થી લાગણી ખરી હોય અને ચોક્ક્સ હોય તો આગળ જવાય..... બાકી જે નસીબ માં આવે એ સ્વીકારીને જીવી જવાય, જીવન આપ્યું છે તો બીજા કોઈ ખોટા રસ્તા પર ગયા વગર અઢળક લાગણીથી જીવી લેવાય.... હા, સમય લેશે પણ સમય આપવો પણ પડે બધું સીધું મળી ના જાય..... જ્યાં હારી જવાય ત્યાં e સંભાળી લેશે, એટલો વિશ્વાસ આ દુનિયાના મૃગજળ માં કરી જ શકાય.