જયોતિર્લિંગ સોમનાથનું મંદિર ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે અને તે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. 1947ની 13મી નવેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલે પરિવાર સાથે સોમનાથના વિરાન અવશેષોનો નિરીક્ષણ કર્યો અને પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો. સોમનાથનું પ્રથમ મંદિર ચંદ્ર દ્વારા બનાવાયું, પછી રાવણ, શ્રી કૃષ્ણ અને ભીમદેવ દ્વારા બનાવવામાં આવ્યું. આ મંદિર અનેક વિધર્મી આક્રમણોનો શિકાર બન્યું, જેમાં મહમદ ગઝની અને ઓરંગઝેબનો સમાવેશ થાય છે, છતાં તે દરેક વખત પુનઃ સ્થાપિત થતું રહ્યું. સોમનાથનું આ માનવજાતિ માટે મહત્વનું સ્થાન છે, જે ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક એકતાનું પ્રતીક છે. જયોર્તિલિંગ સોમનાથ by Ashish Kharod in Gujarati Spiritual Stories 1.3k 1.6k Downloads 5.8k Views Writen by Ashish Kharod Category Spiritual Stories Read Full Story Download on Mobile Description જયોર્તિલિંગ સોમનાથઃ ઈતિહાસ, દંતકથાઓ, વાસ્તુવૈભવ ઉ૫ર ઐતિહાસિક દ્રષ્ટિપાત “નુતન વર્ષના શુભદિવસે આ૫ણે નિશ્વય કર્યો છે કે, સોમનાથના મંદિરનુ પુનઃ નિર્માણ થવું જોઈએ. આ ૫રમ કર્તવ્ય છે. એમા સૌ એ ભાગ લેવો જોઈએ.” સને ૧૯૪૭ ની ૧૩મી નવેમ્બરે વિક્રમ સવંત મુજબ નૂતન વર્ષનો દિવસ હતો, ભારતની એકતા અને અખંડતાના શિલ્પી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર શ્રી વલ્લભભાઈ ૫ટેલે સોમનાથ મંદિરની આ દિવસે મુલાકાત લીધી ત્યારે મંદિરના ભગ્નાવશેષો જોઈને તેમનુ હદય દ્રવી ઉઠયુ હતું .સોમનાથના સાગરતટે જઈને હાથની અંજલીમાં સમુદ્રજળ લઈ તેમણે ઉ૫રોકત શબ્દોમાં સોમનાથના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો. ગુજરાતના ૫શ્વિમ કિનારે આવેલ સુંદર અને આકર્ષક સમુદ્રતટે સમયના બદલાતા જતા વહેણ સામે અડીખમ ઉભેલા ભારતના બાર પૈકીના પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ ૫ર ભુતકાળમાં અનેકવાર વિદેશી અને વિધર્મી આક્રમણખોરોએ લુંટ ચલાવીને તોડફોડ કરી હોવા છતાં આ મંદિર ઐતિહાસીક યુગમાં ૫ણ નિર્માણ પામતુ રહયું હોવાના પ્રમાણો મળે છે. મંદિર સ્થા૫ત્ય માટે વાસ્તુવિદ્યામાં દેવ પ્રસાદ નિર્માણની આઠ શૈલીઓ છે. ભૂમિની, વિમાન, લલીતા, દ્રવીડ, નાગર, વિરાટ, સાવનધારા, અને મીશ્રક. તે પૈકીની નાગર શૈલીમાં આ મંદિરનુ બાંધકામ થયું છે . સોમનાથ મંદિરની આવી કેટલીક અજાણી હકીકતોથી આવો, પરિચિત થઈએ. 0000000000000000000000000000000000 સોમનાથ સાથે સંકળાયેલું એક નાનકડું ૫ણ અનોખું નામઃ નોબત વાદક રણછોડભાઈ આવાં બધાં મોટાં નામોની વચ્ચે એક નાનકડું નામ ઢંકાઈ ગયું છે. એ નામ છે રણછોડભાઈ હરીભાઈ ચુડાસમા ! આમતો એ સોમનાથ ટ્રસ્ટના એક નાના દરજજાના કર્મચારી હતા, ૫રંતુ માણસ કયાં જન્મે છે અને શું કામ કરે છે એ તો નિયતિ ૫ર આધારિત છે. એની ખરી કસોટી તો પોતાનાં ભાગે આવેલું કામ કેટલી નિષ્ઠાથી કરે છે તેના દ્વારા થાય છે અને તે જ તેનાં વ્યકિતત્વની ઓળખ છે. આ૫ણી આ કથાના નાયક રણછોડભાઈએ સળંગ ત્રણ દશક કરતાં વધુ વર્ષો સુધી સોમનાથ મંદિરમાં નોબત વગાડવાનું કામ કર્યું છે. રોજ સવારે ૬ થી ૭ બપોરે ૧૧ થી ૧ર અને સાજે ૬ થી ૭ વાગ્યે સુધી નિયમિત૫ણે નોબત વગાડવાનું રણછોડભાઈ ટાઢ, તડકો કે વરસાદ કોઈ૫ણ ઋતુમાં એમનું સમય૫ત્રક ચુકયા નથી. More Likes This મેઘરાજા ઉત્સવ by Tr. Mrs. Snehal Jani આપણા શક્તિપીઠ - 1 હિંગળાજ માતા મંદિર by Jaypandya Pandyajay સ્વયંને કેવી રીતે ઓળખવું? by Dada Bhagwan જીવન પ્રેરક વાતો - ભાગ 23 - 24 by Harshad Kanaiyalal Ashodiya પ્રયાગરાજ- મહાકુંભ - 2025 by Mamta Tejas Naik અંતરિક્ષની આરપાર - એપિસોડ 1 by Jaypandya Pandyajay ઈશ્વરીય શક્તિ - ભાગ 1 by પરમાર ક્રિપાલ સિંહ More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories