શાર્દુલ ભગત ની કેસર

(1)
  • 38
  • 0
  • 1.2k

કહેવાય છે કે ઘોડાઓ માં એટલી આવડત કુદરતે ભરેલી હોય છે કે તે પોતાના માલિક ને માત્ર સ્પર્શ થી જ ઓળખી જાય. અને ગુજરાત માં સૌરાષ્ટ્ર એટલે કે સોરઠ ની વાત કરીએ તો કહેવાય છે કે સોરઠ માં 36 જાત ની ઘોડીઓ જોવા મળતી જેમાં પીરાણી, રેશમ, પટી,ફુલમાળ,માણકી, ઢેલ,કેસર, તાજણ,હેમલ વગેરે ઘોડીઓ નો સમાવેશ થાય છે. ઘોડા કે ઘોડીઓ ની વાત આવે અને આપણા જાણીતા એવા લોક સાહિત્યકાર ઇશરદાન ગઢવી નું લખેલું આ સપાખરું યાદ ના આવે એવું બને જ કેમ!!

1

શાર્દુલ ભગત ની કેસર - 1

કહેવાય છે કે ઘોડાઓ માં એટલી આવડત કુદરતે ભરેલી હોય છે કે તે પોતાના માલિક ને માત્ર સ્પર્શ થી ઓળખી જાય. અને ગુજરાત માં સૌરાષ્ટ્ર એટલે કે સોરઠ ની વાત કરીએ તો કહેવાય છે કે સોરઠ માં 36 જાત ની ઘોડીઓ જોવા મળતી જેમાં પીરાણી, રેશમ, પટી,ફુલમાળ,માણકી, ઢેલ,કેસર, તાજણ,હેમલ વગેરે ઘોડીઓ નો સમાવેશ થાય છે. ઘોડા કે ઘોડીઓ ની વાત આવે અને આપણા જાણીતા એવા લોક સાહિત્યકાર ઇશરદાન ગઢવી નું લખેલું આ સપાખરું યાદ ના આવે એવું બને જ કેમ!! પિરાણી, તાજણ, ઢેલ, હેમલ, માણકી, પટી, નોરાળી, હિરાળી વળી મૂંગી,ફુલમાળ, બોદલી,માછલી,રેડી, છીંગાળી, છોગાળી,બેરી, છપર, વાંગળી, શેલ્સ ...Read More

2

શાર્દુલ ભગત ની કેસર - 2

ગામના ચોરે ડાયરો બેઠો હતો,અલકમલક ની વાતો થતી હતી અને કસુંબા ની મોજ મણાતી હતી. છેટે થી દરબાર આવતા જોયા ને આખોયે ડાયરો બાપુ ને રામ રામ કરતો ઊભો થઈ ગયો.બાપુએ ઘોડી થંભાવી અને ડાયરાને રામ રામ કર્યા અને ડેલીએ ડાયરાને આવવાનું નિમંત્રણ આપી ઘોડી હંકારી મૂકી. દરબાર એ કેસર ને ઘોડાહર માં બાંધી અને બધી ઘોડીઓ ને નિરણ નાખી,બપોર નુ ટાણું થવા આવ્યું હતું.બાપુ ડેલીએ જઈ ને હજી બેઠા ત્યાં એને રસ્તે દૂર થી આવતો ઘોડેસવાર દેખાયો. એ નજીક આવ્યો એ પહેલા જ દરબાર ઓળખી ગયા અને એને આવકારવા સામાં ડગલા માંડ્યા,આવો આવો કાઠી આજે ...Read More

3

શાર્દુલ ભગત ની કેસર - 3

મૂળુ કાઠી ના ગયા પછી શાર્દુલ ભગત ના હૈયે થોડીક ટાઢક વળી હતી,વળી પાછા દીકરી ને આંગણા માં કામ અને હરખભેર ફરતી જોઈ વળી પાછા મૂંઝાય જાય છે. આ વિચારો ના વમળો થી થોડાક બહાર નીકળી દરબાર ડેલીએ આવી ને બેઠા ત્યાં એટલી વાર માં ગામનો ડાયરો પણ આવી પહોંચ્યો. રામ રામ બાપુ! આ તમે આમંત્રણ આપ્યું થું તો થયું આજ ચોરે નઈ બાપુ ની ડેલીએ ડાયરો જમાવવો છે. રામ રામ ડાયરા ને ,સારું થયું ને બાપા તમે સવ આવ્યા એ. એમ કહેતા દરબાર એ ડાયરા ને આવકાર્યો અને સૌ ડેલી માં ગોઠવાય ગયા. ડાયરો હજી જામ્યો ...Read More

4

શાર્દુલ ભગત ની કેસર - 4

ગઢવી ના ગયા પછી ધીમે ધીમે ડાયરો પણ વિખાણો અને બાપુ પોતાની કેસર પાસે આંટો મારી ને મેડીએ પોરો ગયા. થોડાક દિવસો પસાર થયા અને એક દિવસ બાપુ પોતાની કેસર ને લઈ ને વાડીએ આંટો દેવા ગયા હતા એટલા માં સમાચાર મળ્યા કે બાબરીયાવાડ થી મૂળુ કાઠી અને વીહા ખુમાણ આવ્યા છે એટલે શાર્દુલ બાપુ મારતી ઘોડીએ ગામ માં પાછા ફર્યા. ડેલી માં વીહો ખુમાણ અને મૂળુ કાઠી બેઠા છે,ડેલી આગળ બાપુ એ કેસર ને થંભાવી અને કેસર પર થી ઊતરતા જ બોલ્યા આવ મૂળુ ભા,આવો ભા, વિહા ખુમાણ અને મૂળુ કાઠી ને સંબોધી ને આવકાર આપ્યો.કા ભા ...Read More