અર્પણ....19780 માં મારા લગ્ન થયાં. છેલ્લા 45 વર્ષ થી હું જેવો છું તેવો. છતાં મને નિભાવ્યો. સુખ અને દુઃખમાં હંમેશા મારી પડખે રહી. સમાજમાં મને મોટો કર્યો.45 વર્ષ ના લગ્ન જીવનમાં આજે પણ ખોટા હોય કે સાચા પરંતુ મારા જ નિર્ણયોને સર્વોચ્ચ ગણે છે તેવી મારી ધર્મપત્ની શ્રી મતિ કેસરબેન કરસનજી રાઠોડ ને લેખક તરફથી આમ તો છેલ્લા 28 વર્ષ થી મારું નવલકથા નું લેખનકાર્ય બંધ હતું પરંતુ 2019 ની સાલમાં ગ્રામભારતી -અમરાપુર તા.માણસા ખાતે તે સંસ્થા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા યોજાયેલા મારા સન્માન સમારંભ માં અઘ્યક્ષ સ્થાને થી પ્રવચન માં જાણીતા લેખક ડો. કેશુભાઈ દેસાઈ