*ચંદ્રશેખર આઝાદ*
(ચંદ્રશેખર સીતારામ તિવારી)
પુણ્યતિથિ ૨૭ ૨ ૧૯૩૧
ગામ: ભાવરા ,અલીરાજપુર જિલ્લો, મધ્યપ્રદેશ
🌸ગાંધીજીના અસહકાર આંદોલનમાં પણ ભાગ લીધો હતો.
🌸ક્રાંતિકારી સંગઠન *હિન્દુસ્થાન પ્રજાતંત્ર સંઘ* માં જોડાયા હતા.
🌸 *કાકોરી ખાતે રેલધાડ* ના પ્રસ્તાવને સમર્થન આપનાર તેઓ પ્રથમ હતા.
🌸 કાકોરી રેલધાડ અને *સોંડર્સ હત્યાકાંડ* જેવા બબ્બે દેશહિતના કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવનાર ક્રાંતિવીર.
🌸 નાણાંની જરૂર ઊભી થતાં એક દિવસ પોતે જેને ત્યાં થાપણ મૂકી હતી તે શેઠને ત્યાં રૂપિયા લેવા ગયા. શેઠે તેને બીજે દિવસે આલ્ફ્રેડ પાર્કમાં મળવાનું કહ્યું. *દેશદ્રોહી શેઠે* બીજે દિવસે રૂપિયા લઈને જવાને બદલે પોલીસને મોકલી અને બદલામાં ઇનામ મેળવ્યું. આલ્ફ્રેડ પાર્કમાં પોલીસ અને ચંદ્રશેખર વચ્ચે સામસામો ગોળીબાર થયો. ચંદ્રશેખરની પિસ્તોલમાંથી ગોળીઓ હવે ખૂટી. મોત નક્કી જ છે એવું લાગતાં દુશ્મનને હાથે મરવા કરતાં એમણે *છેલ્લી ગોળી પોતાની છાતીમાં ધરબી દીધી*.
👉🏽👉🏽જિંદગીભર પોલીસના હાથે ન પકડાયા એટલે *આઝાદ* નું બિરુદ પામ્યા.
ભારતમાતાનો લાલ,🚩
ચંદ્રશેખર આઝાદ.🚩
સ્વતંત્રતાને કાજ,🚩
અર્પણ કર્યું જીવન બલિદાન.🚩
ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ🚩ને
આદરાંજલી શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ સ્મરણાંજલિ👏
આઝાદી અનેક જાણીતા, અજાણીતા, જોયેલા, ન જોયેલા અગણિત હિન્દુસ્થાની બંધુ ભગિનીના ત્યાગ-સમર્પણ- બલિદાનથી પ્રાપ્ત થયેલ.
ફાંસી~કેદ~લાઠીનો માર~કાળાપાણી સહન કરીને સ્વતંત્રતા પ્રાપ્ત થઇ છે.
સૌ દેશભક્ત પુણ્યાત્માઓને શત શત વંદન.
*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏