*શ્રી સોહનલાલ પાઠક*
અમર બલિદાની
૧૦ ફેબ્રુઆરી ૧૯૧૬~બલિદાન દિવસ.
🟠 લાલા લજપતરાય, લાલા હરદયાળ, વીર વિનાયક સાવરકર, નલિની ઘોષ તેમના પ્રેરણા સ્ત્રોત રહ્યા.
🟠 સોહનલાલ પાઠકે અમેરિકા જઈ ભારતની સ્વતંત્રતા માટે કાર્ય કર્યું.
🟠 તેઓ અમેરિકામાં સક્રિય હતા ત્યારે તેમને બર્મા પહોંચી સૈનિકોમાં કામ કરવાનો આદેશ મળ્યો.
🟠 આદેશને માથે ચડાવી દેશહિત તેઓ બર્મા પહોંચી ચતુરાઈ તથા મનોયોગ પૂર્વક સેનામાં વિદ્રોહ કરવામાં સફળ રહ્યા.
🟠 તેઓ એક દિવસ ગુપ્તરૂપે સેનાના જવાનોને દેશભક્તિ અને અંગ્રેજો વિરુદ્ધ મરવા-મારવાનું શીખવી રહ્યા હતા ત્યારે અચાનક એક ભારતીય જમાદારે તેમનો જમણો હાથ પકડી લીધો અને તેમને સેનાના અધિકારી સામે પ્રસ્તુત કરવા બળનો ઉપયોગ કરવા લાગ્યો.
🟠 સોહનલાલ પાસે ત્યારે હાથમાં શસ્ત્ર હતું. તેઓ જમાદારનું કામ તમામ કરી શકતા હતા. 👉🏽પરંતુ તેમને લાગ્યું કે...*એક ભારતીય ભાઈની હત્યા પોતાના હાથે થાય તે અને હત્યા કરવાથી ક્રાંતિકારી સંગઠિત કલંકિત થાય તે ઉચિત નથી*.
🟠 માટે તે સ્વયં ગિરફતાર થઈ જાય છે.
🟠 અંગ્રેજો વિરુદ્ધ સાહિત્ય છાપવું અને વિદ્રોહ ભડકાવવાના આરોપમાં તેમને બર્માની મંડલાય જેલમાં *ફાંસી* આપવામાં આવે છે.
👉🏽👉🏽ભારતની સ્વાધીનતા માટે આવા અનેક જીવનપુષ્પ ભારતમાતાના ચરણે સમર્પિત થયા છે. *કંઈ અમસ્તા સ્વાધીનતા મળી નથી ગઈ*. સ્વાધીનતાના મૂલ્યને સમજી દેશ માટે સર્વસ્વના સમર્પણના સંકલ્પ સાથે જીવીએ તે જ ક્રાંતિવીરને સાચી શ્રદ્ધાંજલિ....🙏🌸
*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏