Gujarati Quote in Thought by Pandya Ravi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પંજાબ કેસરી-લાલા લજપતરાય*

૨૮ જાન્યુઆરી ૧૮૬૫...જન્મદિવસ

🌞લાલા લજપતરાયનો જન્મ પંજાબના ફિરોજપુર ગામમાં થયો હતો.
🌞વર્ષ ૧૮૮૫માં કાનૂનની પદવી મેળવી વકીલાતની શરૂઆત કરી.
🌞હિંદુ સમાજમાં વ્યાપ્ત વંશાનુગત છૂઆછૂત, પુરોહિતવાદ,બાલવિવાહ જેવી કુરિતિઓનો તેમને વિરોધ કર્યો.
🌞તેવો નારી શિક્ષણ,સમુદ્ર યાત્રાના પ્રબળ સમર્થક હતા.
🌞 સ્વામી દયાનંદ સરસ્વતીજીની સાથે મળી તેમને *આર્યસમાજ* ને પંજાબમાં લોકપ્રિય બનાવ્યું.
🌞તેમણે *દયાનંદ એંગ્લો વૈદિક વિદ્યાલય* નો પ્રસાર કર્યો.
🌞તેઓ *પંજાબ નેશનલ બેંક* ના સ્થાપક હતા.
🌞લાલા લજપતરાયના દેશભક્તિથી ઓતપ્રોત ભાષણોથી કોંગ્રેસમાં એક નવા દળનો ઉદય થયો *ગરમદળ*. તેમાં જોડાયા મહારાષ્ટ્રના બાલ ગંગાધર તિલક અને બંગાળના વિપિન ચંદ્રપાલ અને રચાઈ લાલ-બાલ-પાલની ત્રિપુટી.
🌞વર્ષ ૧૯૦૫માં અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા *બંગાળના ભાગલા* નો તેમને વિરોધ કર્યો. તેમના ભાષણોએ પંજાબના ઘર ઘરમાં દેશભક્તિની આગ લગાવી. લોકો તેમને *પંજાબ કેસરી* કહેવા લાગ્યા.
🌞લાલા લજપતરાય પૂર્ણ સ્વાધીનતાના પક્ષધર હતા.
🌞૩૦ ઓક્ટોબર ૧૯૨૮માં લાહોરમાં *સાયમન કમિશનના વિરોધ* માં મોટી રેલી નીકળી. *પોલીસ લાઠી ચાર્જ* માં *લાલાજી ગંભીર રીતે ઘાયલ થયા* અને તેમનું ૧૭ નવેમ્બર ૧૯૨૮માં નિધન થયું.
તેમના અંતિમ શબ્દો....*"मेरे शरीर पर पडी एक-एक लाठी ब्रिटिश सरकार के ताबूत में एक-एक कील का काम करेगी.."*
🌞લાલાજીની ચિતાની પવિત્ર ભસ્મ માથે લગાવી ક્રાંતિકારીઓએ તેનો બદલો લેવાની પ્રતિજ્ઞા કરી. ઠીક એક મહિના પછી ભગતસિંહ અને એમના મિત્રોએ પોલીસ કાર્યાલય બહાર જ સાંડર્સને ગોળીઓથી વીંધી નાખ્યો.
પૂજ્ય લાલાજીના જન્મ દિવસ પર સૌને સાદર પ્રણામ.

રાષ્ટ્રહિતમાં https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

Gujarati Thought by Pandya Ravi : 111915759
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now