કોને કોનાથી ફરક પડે છે?
સમય ને ઘડિયાળ હોય કે ન હોય એનાથી કંઇ જ ફરક નથી પડતો.
મૃત્યુને જીવન હોય કે ન હોય કંઇ જ ફરક નથી પડતો.
સૂરજ ને અજવાળું હોય કે ન હોય કંઈ જ ફરક નથી પડતો.
ચાંદની ને શીતળતા હોય કે ન હોય કંઈ જ ફરક નથી પડતો.
હવા ને પવન હોય કે ન હોય કંઈ જ ફરક નથી પડતો.
એજ રીતે,
દુનિયાને તમે હોવ કે ન હોવ કંઇ જ ફરક પડતો નથી.
માટે જીવી લો થોડુંક પોતાના માટે ,
આપણા મૃત્યુ પછી કોઈ ને કંઈ જ ફરક પડતો નથી.