દોસ્તો, હું આપ સૌ સાથે એક મિત્રભાવે જ મારા મનના ભાવોને રજૂ કરવા માંગુ છું. એટલે હું આપ સૌની ચિરપરિચિત વ્યક્તિ જ થઈ. અને મારી વાચા પણ આપ સૌને ગમે એવી આશા રાખું છું.
આમ હું આપ સૌની જેમ જ સંવેદનાઓથી ભરપૂર માણસ છું. મારા જીવનમાં લખાણનું આગમન અનાયાસ જ થયું છે. આમ તો હું માનું છું કે આપણે સ્પર્શ થકી બીજા માટેની લાગણીઓને છતી કરીએ તો તે હૂંફનું કામ કરે છે. આપણા ગમે તેવા દુઃખ દર્દ એમ જ છૂમંતર થઇ જાય છે. તેમ મારી લાગણીઓ આપ સૌને અંતરથી સ્પર્શીને હૂંફ આપે એવી જ અભ્યર્થના.
હું મારા જીવનના કેટલાક અનુભવો અને કેટલીક કલ્પનાઓને વિસ્તારીને ૨૨ વાર્તાઓનું પુસ્તક આપ સૌની સમક્ષ લઇને આવી છું. તટસ્થ ભાવે આપના મંતવ્યો રજૂ કરજો મિત્રો. હું એ વધાવી લઇશ. અને મારા પુસ્તકને આપ સૌ વધાવી લો એવી જ પ્રાર્થના.
આભાર.
નીચે આપેલી લિંક પરથી આ પુસ્તક તમે ખરીદી શકો છો.
https://shopizen.app.link/OZJOYhNNJTb