પ્રેમના પુસ્તક ન હોય વ્હાલા...
ઢાઈ અક્ષર પ્રેમના પઢે એ જ પંડિત હોય.....
પ્રેમનું કોઈ પુસ્તક નથી,તોય બધા પુસ્તકમાં પ્રેમ છે.કોઈ માણસ પ્રેમ કરતું નથી,બસ પ્રેમ તો થઈ જાય છે.
વાત કરું હું પ્રેમ તો અનંત છે એનો કોઈ અંત નથી.પ્રેમ કોઈ એક વ્યક્તિ પ્રત્યે સીમિત નથી.
" બા ની વાર્તામાં પ્રેમ છે
દાદાની લાકડીમાં પણ પ્રેમ છે
માં ના ખોળામાં પ્રેમ છે
પિતાના ગુસ્સામાં પણ પ્રેમ છે
બહેનની કાળજીમાં પ્રેમ છે
ભાઈના ઝગડામાં પ્રેમ છે
તો ભાભીના દુલારમાં પ્રેમ છે...."
આ તો થઈ પરિવારના પ્રેમની વાત.પ્રેમની કોઈ સીમા નથી.તો આ સીમામાં ય પ્રેમ તો છે જ.
વાત કરું પ્રેમી અને પ્રેમિકાની,તો આ દુનિયામાં શ્રીકૃષ્ણથી મોટો કોઈ પ્રેમી નથી.એ તો પ્રેમનો આખી દુનિયામાં પ્રેમનો સૌથી મોટો ગુરુ છે.શ્રીકૃષ્ણ માટે પ્રેમ...
"રાધાની રાહમાં પ્રેમ હતો...
મીરા માટે જેરમાં પ્રેમ હતો..
રૂક્ષ્મણીના વિશ્વાસમાં પ્રેમ હતો..
ગોપીઓને રાસમાં પ્રેમ હતો...
દ્રૌપદીના ચીરમાં પ્રેમ હતો....
કુંવરબાઈના મામેરામાં પ્રેમ હતો..
શકુબાઈના બેડામાં પ્રેમ હતો...
જાનાબાઈના છાણામાં પ્રેમ હતો...
કુબજાના ચંદનમાં પ્રેમ હતો...
નરસિંહ મહેતાની હૂંડીમાં પ્રેમ હતો..
સુદામાની દોસ્તીમાં પ્રેમ હતો...
વિદુરજીની ખીચડીમાં પ્રેમ હતો...
પાંડવોની નીતિમાં પ્રેમ હતો..
કુંતીની અરજીમાં પ્રેમ હતો..."
આ કૃષ્ણ હતો જેના જીવનના દરેક પાત્રમાં પ્રેમ હતો.પુસ્તક લખવું હોય તો કૃષ્ણ વિશે લખી શકાય પણ પ્રેમ વિશે તો નહિ જ કેમકે,તો પણ કૃષ્ણનો પ્રેમ તો અધુરો જ હતો.....
પ્રેમ તો અનંત છે મોહ પૂરો થાય, હવસ પૂરી થાય,આકર્ષણ રૂપ સાથે પૂરું થાય પણ પ્રેમ અધુરો રહી જાય....પ્રેમ મળી પણ જાય.....પણ પણ પણ....પ્રેમ ક્યારેય પૂરો ન થાય...
અસ્તુ...
યોગી