Gujarati Quote in Thought by મહેશ ઠાકર

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કયારેક કયારેક બધું મૂકીને ભાગી જવાનું મન કરે તો, શું કરવું ને ક્યાં જવું ?

તમારા પરિવારનો એક સુંદર મજાનો ફોટો લઈને બનારસ જતા રહો,
ત્યાં જઈને ફક્ત ને ફક્ત બે કલાક ત્યાંના વિશ્વપ્રસિદ્ધ *મણિકર્ણિકા ઘાટ* ઉપર બેસી જઈને અગ્નિથી પ્રજ્વલિત થતી જવાળાઓ માં ખોવાઈ જાવ,
તમને ત્યારે તમારી જિંદગીની બધીજ

મુંજવણ, ઉપાધિઓ, ચિંતા, દુઃખ, દર્દ, પીડા, બીમારી, ઉધારી, દેણું, તમારી ભણતર ડિગ્રી, બેરોજગારી.

બધુજ એ સ્મશાનની અગ્નિમાં ભસ્મ થતું જણાશે,
એક મિનિટ વિચાર કરો કે તમારા પહેલા પણ તમારાથી સારા માણસો હતા તમારા પછી પણ સારા માણસો હશેજ પણ બધાની છેલ્લી ઘડીએ અવસ્થા એક લોટો રાખ છે !
પછી ખિસ્સામાં થી પરિવારનો ફોટો કાઢીને એકવાર બધાના ચહેરાઓ જોવો પછી વિચારો કે મહાદેવે તમને પરિવાર સ્વરૂપ કેટલું અમૂલ્ય પુરષ્કાર આપ્યું છે.
તમે જીવનરૂપી પરિસ્થિતિઓ થી ભાગી જશો તો દુનિયામાં એક કૂતરાને પણ તમારા ભાગી જવાથી કોઈ ફેર પડવાનો નથી,
પણ આ તમારા બહુમૂલ્ય સુંદર પરિવારનું શું થશે વિચાર્યું કયારેય ?
પછી એ વિચારોમાં થી બહાર નીકળીને એક લોટો વેચાતો લઈને એ લોટામાં ગંગાજળ ભરીને તમારી તમામ

ઉપાધિઓ, દુઃખ, દર્દ, પીડા, બીમારી, ચિંતાઓ, બધીજ મૂંઝવણો
એ લોટામાં ઘોળીને ભગવાન શિવ ભોળાનાથ ને એ લોટાનાં જળથી અભિષેક કરો,
અને પછી ત્રિપુંડ કપાળ પર લગાવી ને પાછા આવી જાવ.
પછી વિશ્વાસ કરો જે ભોળાનાથ કામદેવ ને એક પળ વારમાં ભસ્મ કરી શકે છે,
એ ભોળાનાથ તમારી બધીજ ઉપાધિઓ, મૂંઝવણો ને પણ દૂર કરી દેશે

-મહેશ ઠાકર

Gujarati Thought by મહેશ ઠાકર : 111800190
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now