કળિયુગમાં ક્યારે અને ક્યાં અવતાર લેશે ભગવાન વિષ્ણુ, આ મહાગ્રંથમાં છે ઉલ્લેખ
જ્યારે-જ્યારે ધરતી પર પાપ વધે છે, ત્યારે-ત્યારે ભગવાન વિષ્ણુ દુષ્ટોનો અંત કરી ધર્મની સ્થાપના માટે અવતાર લે છે. પુરાણો મુજબ, કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુ એક હજુ અવતાર લેશે. ભગવાનનો આ અવતાર કલ્કિના રૂપમાં પ્રસિદ્ધ થશે. શ્રીમદ્ભાગવત-મહાપુરાણમાં ભગવાનના કલ્કિ અવતારનું વર્ણન એક શ્લોકમાં કરવામાં આવ્યું છે. આજે અમે તમને ભગવાન કલ્કિ તથા તેમના મંદિરના સંબંધમાં કેટલીક સરપ્રદ માહિતી જણાવી રહ્યા છીએ, જે આ મુજબ છેઃ-
શ્રીમદ્ભાગવત-મહાપુરાણના 12મા સ્કંદ મુજબઃ-
सम्भलग्राममुख्यस्य ब्राह्मणस्य महात्मनः।
भवने विष्णुयशसः कल्किः प्रादुर्भविष्यति।।
આગળ જાણો આ શ્લોકનો અર્થ અને ક્યા દિવસે કલ્કિ અવતાર લેશે ભગવાન વિષ્ણુ...
અર્થઃ-
શમ્ભલ ગામમાં વિષ્ણુયશ નામના એક બ્રાહ્મણ હશે. તેમનું હૃદય મોટું ઉદાર અને ભગવતભક્તિપૂર્ણ હશે. તેમના જ ઘરમાં કલ્કિ ભગવાન અવતાર લેશે.
શ્રીમદ્ભાગવત-મહાપુરાણમાં જણાવેલી જગ્યા આજે ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં સંભલ નામથી મોજૂદ છે. શ્રીમદ્ભાગવત મુજબ અહીં જ ભગવાન વિષ્ણુ પોતાનો કલ્કિ અવતાર લેશે. કલ્કિ દેવદત્ત નામના ઘોડા પર સવાર થઈને સંસારથી પાપીઓનો વિનાશ કરશે અને પછી ફરીથી ધર્મની સ્થાપના કરશે.
ક્યા દિવસે થશે કલ્કિ અવતાર
પુરાણો મુજબ શ્રાવણ માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિના કલ્કિ અવતાર થશે, એટલે આ દિવસે કલ્કિ જયંતીનો પર્વ ઉજવવામાં આવે છે. કલ્કિ અવતાર કળિયુગ તથા સતયુગના સંધિકાળમાં થશે. આ અવતાર 64 કળાઓથી યુક્ત હશે. ભગવાન શ્રી કલ્કિ પ્રાચીન કલ્કિનું પ્રાચીન કલ્કિ વિષ્ણુ મંદિર ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં છે. પુરાણોમાં સંભલ જિલ્લાને શંભલના નામથી પુકારવામાં આવ્યું છે. સંભલમાં સ્થાપિત પ્રાચીન શ્રી કલ્કિ વિષ્ણુ મંદિરનો ઈતિહાસ પણ ખૂબ રસપ્રદ અને અનોખો છે.