તમારાથી મોટા લોકોને લાગો છો પગે તો ખાસ વાંચો
હિન્દુ ધર્મમાં રીતરિવાજ અને પરંપરાઓનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને આ પરંપરાઓને આપણા ઋષિ મુનીઓએ બનાવી છે. એવામાં હિન્દુ ધર્મમાં વૃદ્ધો અને આપણાથી મોટા લોકોને આપણે પગે લાગીએ છીએ. તે લોકોને પગે લાગીને વ્યક્તિ બળ, વિદ્યા, બુદ્ધિ અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ. કહેવાય છે કે વરિષ્ઠ વ્યક્તિ તેમનાથી નાનાને તેમના સારા કર્મોના ફળ તરીકે આ દરેક વસ્તુના આશીર્વાદ આપે છે. તો આજે જણાવીએ કે આખરે આપણાથી મોટા લોકોને પગે લાગવાનું મહત્વ શું છે.
આપણાથી મોટા લોકોના અભિવાદન અને ચરણ સ્પર્શની પરંપરા રહી છે. તેની સાથે જ કહેવાય છે કે આપણાથી મોટા લોકોને પગે લાગવાથી પોતાની અંદર નમ્રતા અન્ય પ્રતિ આદર અને વિનયનો ભાવ વધે છે અને તેની સાથે જ વરિષ્ઠ વ્યક્તિની સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ તેના આશીર્વાદ તરીકે તમારી અંદર પ્રવાહિત થાય છે.
કહેવાય છે કે સ્વયં ભગવાન કૃષ્ણ તેમના મિત્ર સુદામાને પગે લાગ્યા હતા અને સાથે જ પગ પણ ધોયા હતા તેમજ સુખ અને સૌભાગ્યની કામના માટે આપણે નવરાત્રિ પર છોકરીઓના આ રીતે પગ ધોઇને પૂજા કરીએ છીએ. જ્યારે આપણા માતા-પિતા અને મોટા લોકોને પગે લાગીને તેમના આશીર્વાદ લેવા સૌભાગ્યનું કામ છે. તેનાથી દિવસના દરેક કામ સારી રીતે પૂરા થાય છે અને પગે લાગવાથી સકારાત્મક ઉર્જા મળે છે.