Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મા વૈષ્ણવીની ઉપાસના જ્ઞાન, શક્તિ અને ઐશ્વર્ય આપનારી માનવામાં આવી છે
- ધાર્મિક આસ્થા સાથે માતાને હ્રદયથી બોલાવવા પર ભક્તની ઝોળી ભરી દે છે

મહાકાળી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મીની ત્રિગુણાત્મક સ્વરૂપ સાક્ષાત મહાશક્તિ છે – મા વૈષ્ણવી.પૌરાણિક માન્યતાઓ પ્રમાણે જગત જનની દુર્ગા જ દુષ્ટ પ્રવૃત્તિઓના રૂપમાં ફેલાયેલા કલેશ અને દુખના નાશ માટે વૈષ્ણવી દેવીના સ્વરૂપે પ્રગટ થયેલી અને સત્વ વૃત્તિઓ અને ધર્મની રક્ષા કરી. ત્રિગુણ સ્વરૂપા હોવાથી મા વૈષ્ણવીની ઉપાસના જ્ઞાન, શક્તિ અને ઐશ્વર્ય આપનારી માનવામાં આવી છે.

શાસ્ત્રો કહે છે કે પ્રેમ જ્યારે આત્મા સાથે જોડાઈ જાય છે તો સાધના રૂપી શક્તિમાં બદલાઈ જાય છે. બસ, માતા વૈષ્ણવીની ભક્તિથી મળેલી આ શક્તિ જીવનમાં સુખ-સંપન્નતા લાવનાર માનવામાં આવે છે. જેની માટે કેટલાક મંત્રોનું સ્મરણ માતાના દરબાર, ઘર કે કોઈપણ મુશ્કેલ હાલાતમાં કરો તો શુભ ફળ મળે છે.

આ જ કારણ છે કે મા વૈષ્ણવીનો દરબાર હોય કે અન્ય કોઇ સ્થાન કે સ્થિતિ માતા માટે શ્રદ્ધા, સ્નેહ અને આસ્થાથી ભક્તિ સર્વ મુશ્કેલીઓથી છુટકારો આપીને દરેક મનોકામનાને જલ્દી જ પુરી કરનારી માનવામાં આવી છે. ધાર્મિક આસ્થા સાથે માતાને હ્રદયથી બોલાવવા પર ભક્તની ઝોળી ભરી દે છે.

મા વૈષ્ણવીની ભક્તિથી મળેલી આ શક્તિ જીવનમાં સુખ- સંપન્નતા લાવનારી માનવામાં આવી છે. જેના માટે અમુક વિશેષ મંત્રનું સ્મરણ માતાના દરબાર, ઘર કે કોઇપણ મુશ્કેલ સંજોગોમાં કરવાથી શુભ ફળ મળે છે.

જાણીએ માતાના સ્મરણનો આવો જ એક મંત્ર અને ઉપાસનાનો સરળ ઉપાય -

- ઘરમાં શુક્રવાર, નવરાત્રિ કે વિશેષ દેવી ઉપાસનાના દિવસોમાં વૈષ્ણવી દેવી દરબારમાં કે માની તસ્વીરની વિશેષ લાલ પૂજા સામ્રગીઓ અર્પણ કરી પૂજા કરો.

- પૂજામાં માતાની તસ્વીરને લાલ ચોકી પર સ્થાપિત કરો.તેમને વિશેષ રૂપે લાલ ચંદન, લાલ ફૂલ, લાલ ચોખા, લાલ ચુંદડીની સાથે દૂધ, હલવો, ચણાનો પ્રસાદ અર્પણ કરી અને નીચે લખેલા મંત્રથી મા વૈષ્ણવીનું સ્મરણ કરો.

शंङ्खचक्रगदापद्मधारिणीं दु:खदारिणीम्।
वैष्णवीं गरुडारूढां भक्तानां भयहारिणीम्।।

अनन्यशरणां ज्ञात्वा प्रपद्ये शरणं तव।
त्वदेकशरणं मात: त्राहि मां शरणागताम्।।

-મંત્ર સ્મરણ કરી માતાની સામે મનગમતી ઇચ્છાઓ પ્રગટ કરો, દરબાર કે તસ્વીરની સામે માથું ટેકવો. ધુપ- દીવો આરતી કરી ખરાબ કર્મો અને વિચારો માટે ક્ષમા માંગી આવા કામથી દૂર રહેવા સંકલ્પ કરો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111420150
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now