Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાં આ દિશામાં માટીના વાસણ રાખવાથી આવશે ધન, થશે અઢળક લાભ

ઘરમાં માટીના વાસણનું હોવું શુભ માનવામાં આવે છે. પહેલાના સમયમાં માટીના વાસણનોજ ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ જેમ સમય બદલાઇ રહ્યો છે તેમ માટીના વાસણ લોકો ઘરમાં રાખતા નથી. પહેલા તેમા જમવાનું બનાવવામાં આવતું હતું અને તેમા ખાવામાં આવતું હતું. તે સિવાય લોકોનું માનવું પણ હતું કે માટીના વાસણ ઘરમાં સુખ શાંતિનું પ્રતીક છે. જો તમે પણ તમારા ઘરમાં તેનો ઉપયોગ કરો છો તો તમને જણાવી દઇએ કે કઇ દિશામાં આ વાસણોને રાખવા શુભ માનવામાં આવે છે. તેનાથી તમારા ઘરમાં સુખ-શાંતિ રહે છે.
માત્ર ધાર્મિક કારણ જ નહિં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે. વિજ્ઞાન આ વાતને માને છે કે તે માટીના વાસણથી ઘરમાં સુખ શાંતિ આવે છે. દરેક લોકોના ઘરમાં માટલું હોય છે. માટલાનું પાણી પીવાથી શરીરને ખૂબ લાભ થાય છે. એટલું જ નહીં માટીના ઘડામાં પાણી રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ રહે છે.

આ વાત જાણીને તમને હેરાની થશે કે માટલામાં પાણી ભરીને રાખવાથી કુંડળીથી બુધ અને ચંદ્રમાની ખરાબ અસર દૂર થાય છે કે ઓછી થઇ જાય છે. બુધ અને ચંદ્રમા માટે તેને ખૂબ શુભ માનાવમાં આવે છે જો તમે માટલામાં પાણી ભરીને તેને ઉત્તર પૂર્વ દિશામાં રાખશો તો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જ્યારે ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં માટીથી બનેલું પક્ષી રાખવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111415503
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now