વિધ્નેશ્વરા ગણેશજી કેમ છે એક દંતા?, કોણે તોડી નાંખ્યો તેમનો દાંત જાણો આ રોચક કથા
ભગવાન ગણેશજીની લીલાઓ અનને તેમની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ એવી છે કે બસ તે વિશે જાણતા જ રહીએ. એવી જ એક કથા છે ગણેશજી એક દંત હોવાની અને તેમનો એક તૂટેલો દાંત સદૈવ તેમના હાથમાં પકડેલો હોય છે. આવો જાણીએ શું છે તેમના તૂટેલા દાંત અને એકદંતની કહાની.
ભાઈ કાર્તિકેયે તોડ્યો હતો ગણેશજીનો દાંત
ગણેશજીની લીલા અપંરપાર છે તેમનો એક દાંત કોઈ બીજાએ નહીં પણ તેમના ભાઈ કાર્તિકેયે જ તોડ્યો હતો. એકવાર કુમાર કાર્તિકેય કોઈ ગ્રંથની રચના કરી રહ્યાં હતા. તે એટલાં વિદ્વાન અને સંશોધનકાર હતા કે તેમણે આ પૃથ્વી પર સૌ પ્રથમ અનેક મહાન ગ્રંથોનું નિર્માણ કર્યું છે. એ સમયે તે એક ગ્રંથની રચનામાં ખોવાયેલા હતા ત્યારે નટખટ ગણેશજી પોતાની નાદાનિયત અને તોફાનને કારણે કાર્તિકેય પાસે પહોંચી ગયા હતા.
તેમને પરેશાન કરી રહ્યાં હતા. ત્યારે કાર્તિકેયે તેમનો એક દાંત તોડી નાંખ્યો હતો. જ્યારે ગણેશજીએ આ વિશે તેમના પિતા શિવજીને કાર્તિકેય વિશે ફરિયાદ કરી ત્યારે કાર્તિકેયે તે દાંત ગણેશજીને પાછો આપ્યો. પણ સાથે સાથે એક શ્રાપ આપી દીધો કે આ તૂટેલો દાંત તેમણે હમેંશા હાથમાં પકડીને રાખવો પડશે. પોતાનાથી દાંત અલગ કરવા જતાં ગણેશજી ભસ્મ થઈ જશે.
તો બીજી કથા છે જેમાં વર્ણન છે કે અસુરનો વધ કરવા જતાં ગણેશજીનો દાંત તૂટ્યો. રાક્ષસ ગજમુખાસુરની વાત છે. આ અસુરને એક વરદાન પ્રાપ્ત હતું. તે કોઈ અસ્ત્ર- શસ્ત્રથી નહિં મરે. એનો ફાયદો ઉઠાવતા તે દેવતાઓ અને ઋષિઓને પરેશાન કરતો રહ્યો. આ અસુરને વશમાં કરવા માટે ગણેશજીએ પોતાના દાંતનો ઉપયોગ કર્યો હતો.
તો એક અન્ય કથા પણ છે જેમાં વેદવ્યાસે મહાભારતને લખવા માટે જ્યારે ગણપતિને જણાવ્યું ત્યારે ગણેશજીએ જાતે જ લહિયા બનીને લેખિણી તરીકે પોતાના દાંતનો ઉપયોય કર્યો હતો. તે માટે તેમણે જાતે જ પોતાનો દાંત તોડી નાંખ્યો હતો.