માતા વૈષ્ણોદેવીની ગુફા સાથે જોડાયેલું છે આ રહસ્ય, શું તમે જાણો છો
વૈષ્ણોદેવી, ભારતનું એક બહું જ પ્રસિદ્ધ અને પ્રાચીન ધાર્મિક સ્થળ છે. અનેક લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. દેશ જ નહિં પણ વિદેશથી પણ અનેક લોકો અહિં દર્શન માટે આવે છે. વૈષ્ણોદેવીનું આ મંદિર હિમાલયના ત્રિકૂટા પર્વત પર આવેલું છે જે ભારતના સૌથી મોટાં મંદિરોમાંથી એક છે. મંદિરના ગર્ભગૃહમાં ત્રણ પિંડિઓ સ્થાપિત છે. જેમાં સૌથી પહેલી પિંડી દેવી સરસ્વતીને સમર્પિત છે જે જ્ઞાન, વિવેક અને કાળની ધની માનવામાં આવે છે. બીજી પિંડિ મહાલક્ષ્મી દેવીને સમર્પિત છે જે ધનની કહેવાય છે. ત્રીજી પિંડિ મહાકાળી દેવીને સમર્પિત છે. જે બળ પ્રદાન કરનારી માનવામાં આવે છે. આજ અમે આપણા વૈષ્ણોદેવીથી જોડાયેલા કેટલાંક ખાસ તથ્યો વિશે જણાવીશું. જે બેહદ રસપ્રદ છે.
રહસ્યો..
1. માતાના દર્શન માટે જે રસ્તાનો પ્રયોગ કરવામાં આવે છે તે અસલમાં પ્રાકૃત્તિક રસ્તો નથી પણ અહિં આવતા શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને જોઈને 1977માં આ રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આ રસ્તાનું નિર્માણ કરાવાતું ગયું. ત્યારથી લઈને આજ સુધી આ રસ્તે જઈને માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવવામાં આવે છે.
2. કહેવાય છે કે વૈષ્ણોદેવીમાં પ્રાચીન ગુફાના દર્શન કેવળ કેટલાંક સૌભાગ્યશાળી લોકોના જ નસીબમાં હોય છે. એવું એટલા માટે છે કે ગુફાને લઈને એક નિયમ છે જે અનુસાર 10 હજારથી ઓછા લોકોની ભીડ હોવા પર પ્રાચીન ગુફાના દ્વાર ખોલવામાં આવે છે. માન્યતા છે કે આ ગુફા બહું જ મહત્વપૂર્ણ છે. કહેવાય છે કે આ પ્રાચીન ગુફામાં પણ ભૈરવનું શરીર મોજુદ છે.
3. વૈષ્ણોદેવીના રસ્તામાં અનેક પડાવ આવે છે જેમાં એક આદ્યકુંવારી છે. જ્યાં એક ગુફા છે જેને ગર્ભજૂનના નામથી ઓળખવામાં આવે છે. આ ગુફાને લઈને માન્યતા છે કે માતા વૈષ્ણોદેવી 9 મહિના સુધી એવી જ રીતે રહ્યાં હતાં જે રીતે શિશુ પોતાની માતાના ગર્ભમાં 9 મહિના સુધી રહે છે.
4. આ ગુફાને લઈને માન્યતા પ્રચલિત છે કે જે પણ વ્યક્તિ પોતાના પૂરાં જીવનમાં એક વાર આ ગુફામાં જાય છે તેને બીજીવાર જન્મ લેવો પડતો નથી. અલબત્ત વ્યક્તિ ગર્ભમાં આવે પણ છે તો પણ ગર્ભમાં કોઈ પ્રકારનું કોઈ કષ્ટ નથી ઉઠાવવું પડતું. તેનો જન્મ પણ બહું જ સરળતાથી સુખપૂર્વક થઈ જાય છે.