વિક્રમ સંવંત 2077 સાવધાન, નવા સંવત્સર પર કાલસર્પનો યોગ, ક્યાંક તમારી રાશિમાં તો નથીને?
મનુષ્યના જીવનમાં કાલસર્પ યોગ ખુબજ ચડાવ ઉતાર લઈને આવે છે. નવા સંવસ્તર પર કાલસર્પ યોગના કારણે દેશ અને દેશની જનતા માટે શુભ નથી, કેમકે સ્વતંત્ર ભારતની કુંડળીમાં વૃષભ લગ્નેશ છે જેના કારણે કુલિક કાલસર્પ યોગ રચાઇ રહ્યો છે જેનું પરિણામ ખુબજ ઘાતક હોય છે. ભારતની પ્રભાવ રાશિ કર્કના બારમાં ભાવમાં શેષનાગ કાલસર્પ યોગ રચાઇ રહ્યો છે જે દેશની આર્થિક સ્થિતિને ખરાબ કરી શકે છે.
કાલસર્પ યોગ એટલે શું ?
એક એવો યોગ છે જે જાતકના પૂર્વ જન્મના કોઈ અપરાધ કે દંડ કે શ્રાપના ફળસ્વરૂપ તેની જન્મકુંડળીમાં જોવા મળે છે. જ્યારે કુંડળીમાં સાત ગ્રહ રાહુ અને કેતુ વચ્ચે હોય તો તે ઘાતક કાલસર્પ યોગ બને છે. તેમા વ્યક્તિ આર્થિક અને શારીરિક રૂપે પરેશાન તો થાય છે સાથે જ સંતાન સંબંધી કષ્ટ પણ રહે છે. તેને હંમેશા આર્થિક સંકટ ઘેરી લે છે. તેને અનેક પ્રકારના રોગ સતાવતા રહે છે. બનતા કામ બગડી જાય છે કે પછી તેમા અવરોધ ઉભો થાય છે. આવી વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ જોવા મળે છે.
આ યોગનો નૈસર્ગિક પ્રભાવ એ છે કે જો આ યોગ શુભ હોય તો વ્યક્તિના જીવનને સર્વોચ્ચ શિખર પર પહોંચાડે છે. અને અર્શથી ફર્શ પર પહોંચાડી દે છે. ભારતવર્ષ જ નહી મહાન નેતા, ઉદ્યોગપતિ, ફિલ્મી કલાકાર લેખક શુભ પ્રભાવથી જીવનના માપદંડોને સ્થાપિત કરે છે. આ યોગથી એકદમ આસમાન જેટલી પ્રસિદ્ધિ મેળવાનાર કલાકાર અચાનક જમીનદોસ્ત થઈ જાય છે.
નુતન સંવત્સરના પ્રથમ દિવસે સૂર્યોદયના સમયે બૃહસ્પતિ કેતુ સાથે તેની રાશિ ધનુમાં બીરાજમાન છે. આ રાશિની અંતીમ 30મી કળાનો ભોગ 29 માર્ચ મધ્યરાત્રિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. રાહૂ મિથુન તેમજ કેતુ ધન રાશિમાં 10મી કળામાં ભોગ કરી રહ્યો છે તમામ ગ્રહો સાથે બૃહસ્પતિ કાલસર્પ યોગ રચી રહ્યો છે.