Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાં આ જગ્યા પર રાખો મોરપીંછ, વૈવાહિક જીવનમાં નહીં આવે કોઇપણ અડચણ

મોરનું નામ આવતા જ દરેકના મનમાં સુંદર દ્રશ્ય નજર આવવા લાગે છે. મોરની સુંદરતાની ચર્ચા જ્યોતિષ શાસ્ત્રમાં પણ કરવામાં આવે છે. કહેવાય છે જો તમે તમારા ઘરમાં મોરનું પીંછુ રાખો છો તો તમારા ઘરમાં અમંગળ ઘટના ટળી જાય છે. આવો જાણીએ મોરપીંછાથી જોડાયેલી ખાસ વાતો.

– મોરપીંછને ઘરમાં રાખવાથી અનેક પ્રકાની ઘટનાઓ ટળી શકે છે આજ કારણ છે કે ખાસ કરીને લોકો તેમના ઘરમાં મોરપીંછને લગાવીને રાખે છે.

– તે આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને ખતમ કરી દે છે. તમારા ઘરમાં ખુશી રહે છે. તમે ઇચ્છો તો મોર પીંછને પૂજા ઘરમાં પણ રાખી શકો છો.

– જો કોઇને વૈવાહિક જીવનમાં તણાવ ચાલી રહ્યો છે તો તમારા શયનકક્ષમાં મોરપીંછ રાખી દો. તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો નહીં થાય અને પ્રેમ વધશે.

– જો તમારા ઘરમાં મોરપીંછ છે તો કોઇપણ ખરાબ શક્તિ પ્રવેશ કરી શકતી નથી જે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાને યથાવત રાખે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111372112
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now