હસ્તરેખા રોગનુ નિર્દેશન પણ કરે છે
જો આયુષ્ય રેખા વધારે પડતી પોહળી હોય અને પીળાશ પડતી હોય તેવી વ્યક્તિ વારંવાર સ્વાસ્થય બગડે છે
કોઈપણ વ્યક્તિને જીવનમાં નાની મોટી માંદગી કે રોગગ્રસ્ત અવસ્થામાંથી પસાર થવું પડે છે , પણ જો વ્યક્તિ જીવનમાં કયા રોગનો ભોગ બનશે ? અથવા કયા રોગ થવાની સંભાવના રહૈલી છે તે વ્યક્તિ જાણતી હોય તો અગાઉથી ચેતીને તેની સામે રક્ષણ મેળવી શકે છે. આ સંદર્ભમાં જોઈએ તો હસ્તરેખા દ્વારા પણ સંભાવિત રોગોની જાણકારી મળી શકે છે તો જાણો હસ્તરેખા દ્વારા સંભવિત રોગોની જાણકારી .
સામાન્ય રોગોઃ જો આયુષ્યરેખા હદ કરતા વધારે પોહળી હોય તેમજ પીળાશ પડતી હોય તેવી વ્યક્તિનુ આરોગ્ય વારંવાર બગડે છે તે નાની મોટી બિમારીનો અવારનવાર ભોગ બને છે. આ પ્રકારની રેખા ધરાવનાર વ્યક્તિએ શારિરક બાબતે સહેજ પણ બેદરકારી રાખવી ન જોઈએ. વિશેષમા જે વ્યક્તિની હસ્તરેખામાં નીસરણી કે પગથિયા જેવી આાયુષ્ય રેખા જોવામાં આવે તો જાણવુ કે તે સતત માંદગી ભોગવશે.
સંધિવાઃ હથેળીમાં જ્યાં આયુષ્યરેખા પુરી થાય છે ત્યાં ચીપીયા જેવો બનતો હોય અને જ્યાંથી આ રેખા શરૂ થતી હોય ત્યાં તેને થોડી થોડી રેખા કાપતી હોય અને સાથે હાથની ચામડી મલમલ જેવી મુલાયમ હોય તેવુ જણાતું હોય તેવી વ્યક્તિ જીવનમાં વહેલા મોડા સંધિવાનાં રોગનો ભોગ બને છે
ઘડપણમાં માંદગીઃ વ્યક્તિનાં હાથમા આયુષ્ય રેખા વધુ પડતી જાડી જણાય અથવા તેની ઉપર વધુ પડતા કાપા પડેલા જોવામાં આવે તે વ્યક્તિએ પાછલી ઉમરમા સ્વાસ્થય સાચવવા માટે પુરતી કાળજી રાખવીજ જોઈએ