સૂતા પહેલા જે વ્યક્તિ વાંચે છે રામાયણની આ ચોપાઈ તેની તમામ મનોકામના થાય છે પૂરી
રામાયણમાં જીવનની દરેક સમસ્યાનું નિદાન આપવામાં આવ્યું છે. પરંતુ તેના માટે સમજ અને જ્ઞાન હોય તે જરૂરી છે. સમજ એ વાતની કે રામાયણની કઈ ચોપાઈ ક્યારે વાંચવી જોઈએ. જો રામાયણની ચોપાઈ વાંચવાની સમજ હોય તો જીવનની અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. આજે રામાયણની આવી જ એક વિશેષ ચોપાઈ વિશે જાણકારી આપવામાં આવી છે. આ ચોપાઈનું પઠન જે રોજ કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે. આ પાઠ રોજ કરવાથી કોઈપણ સમસ્યાનો સંઘર્ષ જીવનમાં રહેતો નથી.
રામાયણની ચમત્કારી ચોપાઈ
જો પ્રભુ દીનદયાલા કહાવા
આરતિ હરન બેદ જસ ગાબા
જપહિં નામુ જન આરત ભારી
મિટહીં કુસંકટ હોહિં સુખારી
દીનદયાલ બિરદ સંભારી
હરહુ નાથ મમ સંકટ ભારી
આ ચોપાઈ રોજ રાત્રે સૂતા પહેલા વાંચવી. નિયમિત આ ચોપાઈનું પઠન કરવાથી મોટા મોટા સંકટ દૂર થઈ જાય છે. ચોપાઈ વાંચ્યા બાદ શ્રીરામના નામની એક માળા જરૂર કરવી. આ ચોપાઈ વાંચવાની સાથે ધ્યાનમાં રાખવું કે સ્વચ્છ અને સાફ આસન અને સ્થાન પર બેસવું. આ સાથે જ ધર્મ પર પણ વિશ્વાસ રાખવો.