......#.... અથર્વ વેદ....#.....
अथर्वणाभिदो वेदो धवलो मर्कटानन: |
अक्षसूत्रं च खटवाङ्गं बिभ्राणो यजनप्रिय ||
જે ઉજ્જવળ વર્ણ વાળા તથા મર્કટ (વાનર) સમાન મુખવાળા છે, જેમણે અક્ષમાળા અને ખટવાંગ ધારણ કર્યા છે, જેમને યજનકર્મ અત્યંત પ્રિય છે,એવા અથર્વણઃ નામના વેદભગવાન કહેલા છે.
અથર્વવેદમાં આમુષ્મિક (પારલૌકિક) એટલે કે “બ્રહ્મવિદ્યા”, અને ઐહિક (ઈહલૌકિક) એટલે કે “દુન્યવી” એમ બંને વિદ્યા એમાં ઉત્તમ સ્વરૂપે વિદ્યમાન છે.
હિંદુ ધર્મના ચાર વેદો પૈકીનો ચોથો વેદ છે.
જે પાછળથી લખાયો હોવાનું માનવામાં આવે છે.
અથર્વવેદનો અર્થ થાય છે- "અથર્વનું જ્ઞાન".
જેમાં અથર્વ એટલે રોજીંદું જીવન.
આમ આ વેદમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન સમાયેલું છે.
અથર્વવેદના શ્લોકોને ઋચાઓ કહેવામાં આવે છે.
આ વેદમાં આવી કુલ ૫૯૮૭ ઋચાઓ છે,જે ૭૩૧ સૂક્તોમાં અને ૨૦ સંહિતાઓ (સ્કંધ)માં વહેંચાયેલી છે.
અથર્વવેદના લગભગ છઠ્ઠા ભાગના મંત્રો ઋગ્વેદમાંથી લીધેલા છે અને ૧૫ તથા ૧૬મી સંહિતા સિવાયની બધી જ સંહિતા પદ્ય સ્વરૂપે રચાયેલી છે.
૨૦મા કાંડમાં કુલ ૧૪૩ સૂક્ત છે,જે પૈકીના ૧૨ સૂક્તોને બાદ કરતા બધા જ ઋગ્વેદમાંથી લીધેલા છે.
અથર્વવેદની કુલ ૯ શાખાઓ છે.
૧. પૈપ્પલાદ શાખા
૨. તૌદ શાખા
૩. મૌદ શાખા
૪. શૌનક શાખા
૫. જાજલ શાખા
૬. જલદ શાખા
૭. બ્રહ્મવદ શાખા
૮. દેવદર્શ શાખા
૯. ચારણવૈદ્ય શાખા
જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે,
૧)પૈપપલાદ અને ૨)શૌનકિય શાખા.
પૈપપલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ ઇસ. ૧૯૫૭માં ઑડિશામાથી તેની સુસંગ્રહિત તાડપત્ર પર લખાયેલી પ્રમાણભૂત હસ્તપ્રત મળી આવી છે.
અથર્વવેદને ઘણા લોકો કાળોવેદ કહે છે,કેમકે તેમાં જાદુટોણા અને મેલીવિદ્યા જેવી વિગતો છે, પરંતુ આ વાતનો અનેક વિદ્વાનો વિરોધ કરે છે. વેદમાંથી રચાએલી સંહિતાઓમાં આ પ્રકારનું લખાણ જોવા મળે છે, પરંતુ તેને મૂળ વેદ ન ગણી શકાય.
અથર્વવેદની રચના આશરે ઇ.પૂ. ૧૨૦૦-૧૦૦૦ દરમ્યાન, એટલે કે સામવેદ અને યજુર્વેદની સાથોસાથ થઈ હોવાનું માનવામાં આવે છે.
જેમ વેદમાંથી સંહિતાઓ રચાઈ છે તે જ રીતે તે સંહિતાઓ પરથી 'બ્રાહ્મણ' રચાયા છે.
જેનો અથર્વવેદમાં જ સમાવેશ થાય છે. અથર્વવેદમાંથી ત્રણ અગત્યના ઉપનિષદો મળી આવે છે, જે છે,
૧)મુંડકોપનિષદ.
૨)માંડુક્યોપનિષદ.
૩)પ્રશ્નોપનિષદ.
...#...--> અથર્વવેદના કેટલાંક તથ્યો...
- અથર્વવેદની ભાષા અને સ્વરૂપના આધારે એવું માનવામાં આવે છે કે આ વેદની રચના ત્રણ વેદો પછીથી થઇ છે.
- આમાં ઋગ્વેદ અને સામવેદના મંત્રો પણ લેવામાં આવ્યાં છે.
- જાદુ સંબંધિત મંત્ર, તંત્ર, રાક્ષસ,પિશાચ, આદિ ભયાનક શકતિઓ, અથર્વવેદનો મહત્વપૂર્ણ વિષય છે.
- આમાં ભૂત-પ્રેત, જાદુ -ટોનાનાં મંત્રો પણ છે.
- ઋગ્વેદના ઉચ્ચ કોટિઓના દેવતાઓને આ વેદમાં ગૌણ સ્થાન પ્રાપ્ત છે.
- ધર્મના ઇતિહાસની દ્રષ્ટિએ ઋગ્વેદ અને અથર્વવેદ બંનેનું બહુ જ મોટું મુલ્ય છે.
- અથર્વવેદથી એ સ્પષ્ટ થાય છે કે આર્યોમાં પ્રકૃતિ -પૂજાની ઉપેક્ષા થઇ ગઈ હતી, અને પ્રેત-આત્માઓ અને તંત્ર-મંત્રમાં લોકો વિશ્વાસ કરવાં લાગ્યાં હતાં.
- અથર્વવેદમાં પદ્ય, ગદ્ય અને સામ એ ત્રણે પ્રકારના મંત્રો દ્વારા રચાયેલો છે.
આ ગ્રંથ પરમ શક્તિઓનો ગ્રંથ છે.
જયારે અર્થ, કામ અને ધર્મ ત્રણેય જીવનમાં ઉતરે છે, ત્યારે મોક્ષનો માર્ગ ખુલે છે.
આ મુક્તિ જ્ઞાનના મધ્યમ દ્વારા આવે છે
જેને બ્રહ્મજ્ઞાન કહે છે.
આમ અથર્વ વેદ એ "સ્થિરજ્ઞાન"વાળો વેદ છે.
આ ગ્રંથના દેવતા ચંદ્રને માનવામાં આવે છે,જે શીતળતા આપે છે.
"यस्य राज्ञो जनपदे अथर्वा शान्तिपारगः।
निवसत्यपि तद्राराष्ट्रं वर्धतेनिरुपद्रवम्।।"
અથર્વવેદમાં વિભિન્ન રોગો અને ઔષધિઓના પુષ્કળ ઉલ્લેખો મળે છે.
ઇતિ વેદ્ પુરાણમ્ સંપૂર્ણ :
જય ભોળાનાથ...
હર હર મહાદેવ.... હર....