🙏પુષ્ય નક્ષત્ર🙏
દેવતા:બૃહસ્પતિ (ગુરુ), આકૃતિ: પુષ્ય, આંચળ, તીર સાથેનુ ગોળાકાર ચક્ર, નક્ષત્ર સ્વામી સ્વાતિ રાશિ સ્વામી: ચંદ્ર
પુષ્ય નક્ષત્ર દરમિયાન લગ્ન-વિવાહ કરવાનો નિષેધ છે. કુંડળીમાં ચંદ્ર-શનિ બળવાન હોય તો આ નક્ષત્ર ની મહત્તમ પોઝિટિવ ઊર્જા અનુભવાય છે
સપ્ત ઋષિઓ માં બૃહસ્પતિ (ગુરુ) ની ગણના કરવા મા આવી છે. તે દેવોનાં ગરૂ છે અથર્વવેદ તેઓને ઊર્ધ્વ દિશા નાં સ્વામી કહે છે જ્યારે શુકલ યજુર્વેદ માં તેમનો સંબંધ ઉચ્ચતમ આકાશ કે સ્વર્ગ સાથે કરવાકરવામાં આવેલ છે
પ્રાચીન ભારતમાં જેમ દરેક રાજા એક વૃદ્વ અને વિદ્વાન બ્રાહ્મણ ને પોતાના દરબારમાં પુરોહિત બનાવી રાજ્યરાજ્યનાં સુશાસન માટે તેમની અવારનવાર સલાહ લેતાં તે જ રીતે બૃહસ્પતિ ની કલ્પના પણ દેવો નાં ગુરુ પુરોહિત તથા ઈન્દ્ર નાં મંત્રમંત્રીના રૂપરૂપમાં કરવા મા આવી છે. બૃહસ્પતિનાં પરમોચ્ચ ચરિત્રની ઝાંખી મહાભારત ના ઉધ્યોગપર્વમાંથી મળે છે રામાયણ માં દેવ-ગુરુ બૃહસ્પતિ ને વાદવિવાદ માં કુશળ અને ઉત્તમ વક્તા કહ્યા છે તે શ્રેષ્ઠ ઉપદેશક અને વાણી પ્રદાન કરનાર છે, તેઓ વાચસ્પતિ (વિધ્યાઓના સ્વામી), જ્ઞાની તથા મેઘાવી છે. પશુ, ધન, બળ,અને અન્ન ના દાતા છે. પ્રબળ પ્પ્રેરણાદાયક છે ઐત્તરીય બ્રાહ્મણ અનુસાર કોઈની હાનિ નથી કરતા. બ્રહ્મપુરાણ માં બૃહસ્પતિને અધિક કુટનિતજ્ઞ બતાવ્યા છે. બૃહસ્પતિ એટલે ચાણક્ય નિતી એટલે આ નક્ષત્ર બળવાન હોય તો સારા રાજનિતિજ્ઞ કે સલાહકાર બની શકાય જો કુંડળીમાં મા સુર્ય અને શનિ બળવાન હોય તો પંચમ કે,કર્મસ્થાન સાથે પુષ્ય નક્ષત્ર નો સંબંધ સરકાર માં ઉચ્ચ સ્થાન આપનાર છે
શનિ આ નક્ષત્ર ના સ્વામી ગ્રહ છે ચંદ્ર-શનિનો સંયોગ અહીં નકારાત્મક નથી. શનિ પરિશ્રમ, જવાબદારી ન્યાય, સેવા વગેરે નાં કારક છે બીજી તરફ ઋગ્વેદ "પુષ્ય " ની જગ્યાએ "તિસ્ય" નો,ઉલ્લેખ કરે છે તિસ્ય એ સ્ત્રીત્વ છે રસપ્રદ બાબત એ છે કે નક્ષત્રાકૃતિ "આચંળ" છે. આમ શનિ ના ગુણો ઉપરાંત પાલન પોષણ, દયા, સહાનુભૂતિ,મમતા, કરુણા જેવી માતૃત્વ ની ઊર્જા પણ આ નક્ષત્ર માં છે. તીર અને ગોળાકાર ચક્ર ધ્યેયસિદ્વિનુ નિર્દશન કરે છે પુષ્ય આનંદ અને સફળતા દર્શાવે છે. દેવ ગુરુ બૃહસ્પતિ જ્ઞાન શ્રદ્ધા આધ્યાત્મિક ભક્તિભાવ ભાગ્ય સાથે સંબંધિત હોવાથી ગુરુ ઉચ્ચનો કે સ્વગૃહી હોય કે નવમ ભાવ પર ગુરુ ની દ્રષ્ટિ,હોય તો જ્ઞાન થકી ભાગ્યવૃદ્વિ અવશ્ય થાય છે આમ પુષ્ય નક્ષત્ર શુભ ફળદાયી છે નક્ષત્ર મંડળ નાં "Star of multinational " કહેવાય છે અને મુહર્તશાસ્ત્ર પ્રમાણે આ નક્ષત્ર દરમિયાન લગ્ન-વિવાહ કરવાનો નિષેધ છે કુંડળીમાં મા ચંદ્ર અને શનિ બળવાન હોય તો આ નક્ષત્ર ની પોઝિટિવ ઊર્જા વ્યક્તિગત સ્તરે અનુભવાય જો શનિ નિર્બળ હોય તો રૂઢિવાદી સ્વભાવ અને સંકુચિત મનોવૃત્તિ પણ દેખાય અને ચંદ્ર નિર્બળ હોય તો ક્રોધ, વાદવિવાદ ઈર્ષા, જીદ વગેરે જેવા અવગુણ આવે
સકારાત્મક ઊર્જા: નૈતિક જવાબદારી, ન્યાયપ્રિય, સેવા પરિશ્રમ, પોષણ, ધનસુખ, નસીબદાર જ્ઞાન ,ડહાપણ, સંસ્કાર, આધ્યાત્મિકતા,સલાહકાર, સારુ આયોજન દાન પુણ્ય દાર્શનિક, તત્ત્વજ્ઞાન નિતી-નિયમ રક્ષણ અને પોષણ નાં ગુણો
નકારાત્મક ઊર્જા: સ્વાર્થ અભિમાન, સંકુચિત મનોવૃત્તિ, તાણ જીદ, ઈર્ષ્યા, માતાના સુખમાં ઉણપ, શંકા, ભાઈ ભાઈ સાથે સંઘર્ષ આળસ બેજવાબદારી, શિસ્ત-સંયમનો અભાવ ભાગ્ય પાછુ પડે લાગણી વ્યક્ત ન કરી શકે
કાર્યક્ષેત્ર: અન્ન,ક્રષિ,ડેરી-ઉધ્યોગ,મિકેનિકલ સિવિલ, પેટ્રોલ, સિક્યુરિટી, ખાણ ખનિજ રાજકારણ વિગરે વિગરે
શુભ કાર્યો: રવિવાર અને ગુરુવારના દિવસે આ નક્ષત્ર હોય તો સોનાચાંદીની ખરીદી માટે ઉત્તમ,ખાત મુહર્ત , ખરીદી નવા કામ નાં શુભ મુહૂર્ત માટે ઉત્તમ છે