Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Palmistry Study About The Most Important Line In Palm

ધન+ભાગ્ય કરતાં પણ વધારે મહત્વની છે આ રેખા, ખોલે છે મોટા રહસ્ય

હસ્તરેખા વિજ્ઞાનમાં હથેળીમાં રહેલી રેખાઓથી વ્યક્તિના ભાગ્ય, ધન અને જીવનના ઘણા રહસ્યો જાણી શકાય છે. પરંતુ મોટાભાગે લોકો પોતાના ભાગ્ય અને ધન સંપત્તિ વિશે જાણી હથેળીની અન્ય રેખાઓ વિશે જાણવાની કોશિશ જ નથી કરતાં. હાથમાં એક રેખા એવી પણ છે જે સંપત્તિ અને ભાગ્ય સિવાય પણ મોટા રહસ્ય ખોલે છે. ચાલો જાણીએ હથેળીમાં આ રેખા કઇ છે અને તે કેવા રહસ્યો ખોલે છે....

સંસારમાં સોનું, ચાંદીથી પણ મોંઘુ ધન સ્વાસ્થ્યને માનવામાં આવે છે. જો તમારું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો ધન-દોલત હોવા છતાં પણ તમને તેનું સુખ ઉઠાવી શકશો નહીં. ઉદાહરણ તરીકે, ડાયાબિટીસના રોગીને જ લઇએ તો તેમની પાસે પૈસા હોવા છતાં પણ તેઓ મીઠાઈ ખાઇ શકતાં નથી. આ માટે કોઇપણ રેખા વિશે જાણતા પહેલાં સ્વાસ્થ્ય રેખાને જાણવી અને જોવું કે તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે અને કયો રોગ તમને પીડિત કરી શકે છે.

જે વ્યક્તિની હથેળીમાં સ્વાસ્થ્ય રેખા દ્વીપ સ્વરૂપે સમાપ્ત થતી હોય છે તેવા લોકોને છાતી અને ફેંફસા સંબંધિત રોગ થવાની સંભાવના રહે છે.

હસ્તરેખા વિજ્ઞાન મુજબ જો સ્વાસ્થ્ય રેખાને કોઇ તીક્ષ્ણ રેખા કાપતી હોય ત્યારે વ્યક્તિએ વધારે સાવધાન રહેવું જોઇએ. આવા વ્યક્તિએ ભયંકર દુર્ઘટનાનો સામનો કરવો પડે છે.

- જે વ્યક્તિની હથેળીમાં સ્વાસ્થ્ય રેખા પીળા રંગની હોય છે તેવા લોકોને ગુપ્ત રોગ થવાની સંભાવના વધી જાય છે.

- જે વ્યક્તિની હથેળીમાં સ્વાસ્થ્ય રેખા લહેરદાર હોય અને મંગળ બળવાન હોય છે તેવા લોકોને આંતરડાનો રોગ, પથરી, અલસર વગેરે થવાની સંભાવના રહે છે.

હસ્તરેખા વિજ્ઞાન મુજબ જે લોકોની હથેળીમાં સ્વાસ્થ્ય રેખા જીવનરેખાથી નીકળી રહી હોય અથવા જીવન રેખાને સ્પર્શ કરતી હોય અને સ્વાસ્થ્ય રેખા પર તારાનું નિશાન હોય તો તે અશુભ માનવામાં આવે છે. આવા વ્યક્તિને યાત્રા સમયે અને વાહન ચલાવતી સમયે વધારે સતર્ક રહેવું જોઇએ. આવા વ્યક્તિની મૃત્યુ પણ યાત્રા સમયે થાય તેવી સંભાવના વધી જાય છે.

જે લોકોની હથેળીમાં સ્વાસ્થ્ય રેખાની સાથે-સાથે કોઇ અન્ય રેખા ચાલતી હોય છે તેવા લોકોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. આવા વ્યક્તિ જલ્દી બીમાર થઇ શકતાં નથી. આવા લોકોને ગંભીર રોગ થવાની સંભાવના પણ ઓછી રહે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111360423
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now