ગમે તેવા સંકટથી ઘેરાયા હો જપીલો ગણેશજીના આ 10 નામ, દૂંદાળા દુ:ખ દૂર કરશે
અતિ દુષ્કર સમયમાં શુભ ફળની પ્રાપ્તિ માટે ભગવાન ગણેશની પૂજા ફળદાયી નિવડે છે. તે સંકટોને હરીને શુભ ફળ આપે છે. ભગવાન શ્રીગણેશ આદિદેવ છે જેઓ ભક્તોને તેમની સાધનાનું પણ ઝડપથી ફળ આપે છે. ભગવાનને દુર્વા અતિપ્રિય છે, તેમને પૂજામાં દુર્વાનો ઉપયોગ અચુકપણે થાય છે. રોજ જો તેમના 10 નામનો જાપ કરવામાં આવે તો પણ ગણેશજી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. સાથોસાથ કુંડળીમાં મંગળદોષ અને રાહુદષમાંથી પણ મુક્તિ આપીને શુભ ફળ આપે છે.
આવી રીતે કરવી ગણેશજીની પૂજા
આ પૂજા તમે કોઈપણ શુભ દિવસે શરૂ કરી શકો છો. ગણેશજી પ્રતિષ્ઠિત પ્રતિમા પર આ પૂજા કરવી. પૂજા માટે 21 દુર્વા લઈ નીચે દર્શાવેલા નામ લઈ ગણેશજીને ગંધ, ચોખા, પુષ્પ, ધૂપ, દીપ, પ્રસાદ અર્પણ કરી એક એક નામ લેતા લેતાં ગણેશજીને દુર્વા ચડાવવી. આ પૂજા પ્રતિદિન શ્રદ્ધાપૂર્વક કરવી, તમે થોડા જ દિવસોમાં અનુભવશો કે ગણેશજી તમારી મનોકામના થોડા જ દિવસોમાં પૂરી કરી દેશે.
ગણેશજીના દસ નામ
1. ॐ ગણાધિપાય નમ:
2. ॐ ઉમાપુત્રાય નમ:
3. ॐ વિધ્નનાશનાય નમ:
4. ॐ વિનાયકાય નમ:
5. ॐ ઈશપુત્રાય નમ:
6. ॐ સર્વસિદ્ધિપ્રદાય નમ:
7. ॐ એકદન્તાય નમ:
8. ॐ ઈભવક્ત્રાય નમ:
9. ॐ મૂષકવાહનાય નમ:
10. ॐ કુમારગુરવે નમ: