09-09-2019 હુ કોણ છુ ?
આ વર્ષ પાછી નદી ના તટ પર પડેલી થોડી કલર ઉડેલી અને અડધી પાણી મા પિગળેલી એક મુર્તિ નજીક માથી પસાર થતા મનુષ્ય ને પુછવા લાગી
હુ કોણ છુ ? "માટી ભગવાન કે કચરો "
તો તરત જ નજીક મા પડેલી બીજી મુર્તિ કેહવા લાગી કે યાર જવા દે વિસર્જન થઇ ગયુ હવે એ નઇ સાંભળે. અને કદાચ આ એજ જગ્યા છે જ્યાં આપણે ગયા વર્ષે પણ આવ્યા હતા. તો પેહલી મુર્તિ એ જવાબ આપ્યો કે હા સાચી વાત છે હુ ત્રણ દિવસ પેહલા અહી લાવવા મા આવી.
તો થોડી દુર પડેલી એક મુર્તિ બોલી ઉઠી કદાચ એટલે જ ગરીબ આપણ ને રોજી બનાવવા બનાવે છે અને અમીર રોજી બતાવવા યાદ કરતા હોય છે.
મનુષ્ય ની આ કાર્ય મા કોઇ સ્વાર્થ કે કઇક માંગવા ની વ્રુતી ભલે ના રેહતી હોય પણ મુર્તી ને સુકા મેવા ફળફુલ કે પકવાન ચઢાવી ને કે 10-20 ની નોટો મુકી ને દુનિયા ને એ બતાવવા ની વ્રુતી જરુર રેહતી હોય છે કે હા અમે પણ ભગવાન ને બહુ માનીયે છીએ અથવા તો અમે પણ દર વર્ષે ભગવાન તેડાવી શકીયે છીએ.
મનુષ્ય ના મુર્તિ નુ માટી માંથી સર્જન કરી માટી માં ભેળવી દેવાના વિચાર મા શ્રધ્ધા અચુક દેખાય છે પણ વિસર્જન પછી થતુ અપમાન ઉડી ને આંખે વળગે છે. સભાન થવુ આપણા પર હોય છે પણ જો પ્રથા ની દ્ધષ્ટી એ જોશો તો "ચાલવા દો જે ચાલતુ આવે છે" નો વિચાર ઘર કરી જશે.
ટુંકમા શ્રધ્ધા હશે તો જ અપમાન થાય છે એ જોઇ શકશો. બાકી આપણ ને બનાવવા વાળા ને આપણે ક્યારેય બનાવી નહી શકીયે.