Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મસ્તિષ્ક રેખા ચંદ્ર અને મંગળના પર્વતના મધ્યભાગ સુધી જ જાય તો તે ઉત્તમ ગણાય છે

પ્રત્યેક વ્યક્તિની હાથની રેખાઓમાં- મસ્તિષ્ક રેખા એક અતિ મહત્ત્વની રેખા ગણાય છે. આ રેખા પરથી વ્યક્તિની બુદ્ધિમત્તા, સ્મરણશક્તિ, ધારણાશક્તિ, માનસિક ક્ષમતા, એકાગ્રતા અને કર્તૃત્વશક્તિનો અંદાજ આવી શકે છે.

આ મસ્તિષ્ક રેખા ચંદ્ર અને મંગળના પર્વતના મધ્યભાગ સુધી જ જાય તો તે ઉત્તમ ગણાય છે.

મસ્તિષ્ક રેખા સરળ, ઊંડી અને નાની હોય તો તેવી વ્યક્તિ વ્યવહારકુશળ પુરવાર થાય છે.

મસ્તિષ્ક રેખા આયુરેખાને સ્પર્શ કરી નીકળી હોય તો આવી વ્યક્તિ અતિ સંવેદનશીલ સ્વભાવ ધરાવે છે.

મસ્તિષ્ક રેખા મંગળ અને ચંદ્રના પર્વતના મધ્યભાગ સુધી ગઇ હોય તો તેવી વ્યક્તિ બુદ્ધિમાન, ચતુર અને યશસ્વી બને છે.

મસ્તિષ્ક રેખા આગળ વધીને મંગળના પર્વત ઉપર ગઇ હોય તો તેવી વ્યક્તિ દૃઢ નિશ્ચયી, નીડર અને ઉત્સાહી બની રહે છે.

મસ્તિષ્ક રેખા જો આગળ વધીને નીચે ચંદ્રના પર્વત ઉપર ગઇ હોય તો તેવી વ્યક્તિ બુદ્ધિમાન, ચતુર, વિચારક અને યશસ્વી કવિ બની રહે છે.

જો આ મસ્તક રેખા ઉપરના ભાગમાં સૂર્યના પર્વત તરફ જાય તો તેવી વ્યક્તિ આર્ટ કળા ક્ષેત્રમાં આગળ વધી શકે છે. વિશેષમાં તે સટ્ટાનો વેપાર કરનાર, સાર્વજનિક ક્ષેત્રમાં રસ દાખવનાર બની રહી સુખ-સંપત્તિ અને યશપ્રતિષ્ઠા પામી શકે છે.

મસ્તક રેખા જો ઉપરના ભાગમાં બુધની આંગળી તરફ જાય તો તેવી વ્યક્તિ સ્વાવલંબી, ઉદ્યમી અને કોન્ટ્રાક્ટના વ્યવસાયમાં પ્રતિષ્ઠિત બની રહે છે.

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111251374
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now