ચાલો આપણે ઘણા સમયથી જેની રાહ જોતા હતા તે ચુંટણીના પરિણામની 23 તારીખ આજ સવારથી આવી ગઇ...ને ચુંટણીના પરિણામ પણ જાહેર થઇ ગયા..ભારતીય જનતા પાર્ટી ફરી બહુમતિ સાથે એકવાર જીતી ગઇ..ને શ્રી નરેન્દ્ર મોદીજી બીજા પાંચ વરસ માટે તેમની વડાપ્રધાનની ખુરશી ફરી સંભાળશે...
જનતાને જે જોઇતું હતું કે ફરી ભાજપ આવે ને ભારતદેશનો અટકેલો વિકાસ ફરી પાછો તેના પંથે આગળ વધતો રહે તેમ હવે મળી ગયું..
દેશમાં ચાલી રહેલી મોંઘવારી, બેરોજગારી, વિજળી, પાણી, મકાન..જેવી તકલીફો હોવા છતાંય જનતાએ ફરી તેના લાડકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચુંટી કાઢ્યા છે.. જે એક વિચારવા જેવું કહીં શકાય...
દેશમાં જનતાને નોટબંધીથી પડેલી તકલીફો ભુલીને પણ નરેન્દ્ર મોદીને ફરી એકવાર ચુંટીને બીજા પાંચ વર્ષ માટે દિલ્લીની ગાંદીએ બેસાડી દીધા..
કોંગ્રેસે પણ આ ચુંટણી જીતવા માટે ઘણી કોશિશ તેમજ મહેનત કરી હતી..
પણ જનતાએ કોંગ્રેસને વોટ આપવાને બદલે ભાજપાને વોટ આપવાનું યોગ્ય માણ્યું. જનતા જાણે છે કે દેશનો વિકાસ-મોઘવારી-બેરોજગારી-જેવા જટીલ સમસ્યા ફકત મોદી જ હલ કરી શકેછે...તેમ વિચારીને તેમના દરેક કિમતી મતો ભાજપની ઝોળીમાં નાખ્યા..
ને આજ ફરી ભાજપાને જીતાડીને ફરી એકવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાનનો તાજ પહેરાવી દીધો...
હવે જોવાનું તે છે કે ભાજપ એટલે કે નરેન્દ્ર મોદીજી તેમના બીજા પાંચ વર્ષ દેશને માટે શું શું કરેછે..!
શું હવે મોંઘવારી ઘટી જશે! શું હવે બેરોજગારી દુર થશે! શું હવે બેઘરને મકાન મળી જશે! શું હવે નાના ગામડાંઓમાં વિજળી પાણી મળી રહેશે!
આવી થોડીઘણી દેશમાં તકલીફો હોવા છતાંય જનતાને એક આશા છે, એક વિશ્વાસ છે કે આવી તકલીફો ફકત એક જ માણસ સોલ કરી શકેછે તે છે નરેન્દ્ર મોદી..
આશા રાખીએ કે તેમના અટકેલા ને બાકી રહેલા કામો ફરી તેઓ આગળ વધારે ને પુરા કરે...
પરંતું એક વાત આપણે યાદ રાખવી જ પડશે કે ઉંચા આકાશમાં ચમકેલો કોઇ મોટો તારો કંઇ રોજ નથી દેખાતો..તેમ નરેન્દ્ર મોદીજી ના આવતા પાંચ વરસ પુરા થયા પછી શું!
ભારતીય બંધારણ પ્રમાણે કોઇપણ વડાપ્રધાનનો કાર્ય કાળ દશ વર્ષ સુધીનો જ હોયછે..એટલે કે તે દશ વર્ષ સુધી આ પદ ઉપર રહી શકેછે..કહેવત છે કે નવું નવ દિવસ સારું લાગે..પણ પછી આપણને જુનું યાદ આવ્યા વગર રહે જ નહીં..
કોગ્રેસે આ દેશમાં સાઇઠ વરસ શાસન કર્યુછે..જે તેના માટે એક રેકોર્ડ કહેવાય..
લોકો કહેછે કે આ તો એક મોદી લહેર જ છે..તેથી જ નરેન્દ્ર મોદીથી ભાજપ આજ કોંગ્રેસની ઉપર છે..એ તો સૈ કોઇ જાણે છે.. ટુકમાં, જો ફિલ્મનો હીરો જ ફિલ્મમાં બરાબર શેટ ના થતો હોય તો તે ફિલ્મ કેવી રીતે ચાલવાની હતી!..તેમ ભાજપ પણ બીજા પાંચ વર્ષ પછી નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન પદેથી દુર થશે તો ભાજપ માટે ફરી કપરાં દિવસો આવી જશે..તેમાં નવાઇ નહીં..ને આવા સમયે ફરી કોગ્રેસ આવતી ચુંટણીમાં બાજી મારી જશે..એ ચોકક્સ છે.
મે 2014 માં પણ વિચાર્યુ હતું કે ભાજપ જ આવશે ને નરેન્દ્ર મોદીજી જ વડાપ્રધાન બનશે..ને આ 2019 માં પણ સો ટકા એવું વિચાર્યું હતું કે ફરી ભાજપ જ આવશે ને નરેન્દ્ર મોદીજી જ ફરી તેમના બીજા પાંચ વર્ષ પુરા કરશે..ને તે પણ આજ સાચુ પડ્યુ..પણ આજ ફરી કંઇક એવો વિચાર આવેછે કે હવે પછીની ચુંટણીમાં (પાંચ વર્ષ પછી) કદાચ ફરી કોંગ્રેસ તેનું મેદાન મારી જશે..તેમ મને લાગી રહ્યુ છે..કાશ ખોટું પડે તો સારું..પણ સાલુ સાચુ જ પડેછે..!