આજ કાલ ઘણા લોકો પોતાનો ધર્મ જે કંઇ હોય પણ એકંદરે ચુસ્તપણે ને નીતિનિયમો અનુસાર પાળતા હોયછે...
ધર્મ જે કહેછે તે જ તેઓ ખાયછે..જે નથી ખવાતુ તેને હાથ તો શું, જોતા પણ હોતા નથી..
જેમ કે સ્વામીનારાયણ ધર્મ..
જે સૈથી મોટો ધર્મ માનવામાં આવેછે તેમાં લસણ ને ડુંગરી નથી ખવાતી...જે આ ધર્મ ચુસ્ત રીતે પાળતા હોયછે તે લોકો ખરેખર નથી જ ખાતા..
બાકી બીજા ઘણા લોકો ખાતા પણ હોયછે..તેની ચર્ચા આજ કરવી નથી...
પરંતું જે સાધુઓ(બાવા) ભગવા કપડાં પહેરે છે તેમાંના ઘણા લોકો મચ્છી મટન કે મદિરા લેતા જ હોયછે
આપણે મીડીયામાં ઘણા ફોટા કે વિડીઓ તેમના જોતા જ હોઇએ છીએ...
આ ભગવા કપડાં ધરાવતા તેઓ સાધુ નથી હોતા પરંતું આ જગ્યાએથી બીજી જગ્યાએ રખડતા ફરતા બાવા લોકો જ હોયછે...જે મંદિરોમાં રહેછે તેની હું વાત નથી કરતો...
આવા લોકોએ એક ચીજનો ખ્યાલ જરુર કરવો જોઇએ કે તમે સંસારનો ત્યાગ કર્યો છે..તમારો પરિવાર હોતો નથી..તમારુ આખુ જીવન ભગવાનની ભક્તિ પૂજા કે અર્ચનામાં પરોવી દીધું છે ને તમે સાદા કપડાં ઉતારીને ભગવાનને પ્યારા એવા એક કેસરી કપડાં ધારણ કરી લીધા છે તો પછી પણ આવી ચીજો ખાવી ના જોઇએ...
માથે મોટી જટા..ગળામાં રુદ્રાક્ષની લાંબી કંઠી..ને શરીરે કેસરી વેશ ધારણ કર્યો હોય તો પછી શા માટે આવી ચીજો તમારે ખાવી પડેછે..!
કે પછી આ એક પ્રકારનો દેખાવ માટેનો ઢાંગ છે!
શું દુનીયાને ખાલી આમ જ બતાવવાનું કે અમો સાધુ બાવા છીએ! ભગવાનના બીજા અવતાર છીએ!
દુનીયા પણ ભોળી છે...
(મૈયા જરા ભિક્ષા દે..દે
તેરા કલ્યાણ હોગા..
એ લો મહારાજ, આ ચોખા..
લાવ લાવ બેટા મટન ચિકનમે કામ લગેગા..બિરીયાની બનાને..આજ તો હમ મચ્છી કે સાથ..પુલાવ ભી ખાયેંગે...)
આજે ધર્મો તો અનેક હોયછે પણ સાચો ધર્મ પાળનારા લોકો નહિવત્ હોયછે...
એકવાર તમે મનથી સાચો ધર્મ પાળોછો તો જે ધર્મમાં ખવાય તેજ તમારે ખાવું જોઇએ ને જે ધર્મ ના કહેછે તે ખાવું જ ના જોઇએ.
તો તમે એક સાચો ધર્મ પાળ્યો કહેવાય...
પછી તો બાકી બધુ જ હાલે છે.. કોણ જુએ છે પાછલા બારણે! કે શું ખાધુ ને શું પીધું!
માણસ છીએ તો બધું જ ખવાય..ધરમ બરમ પછી..
મુખમાં રામ ને બગલમાં છુરી,
એવી છે આજની દશા..
માનો તો એક ધરમ છે ને ના માનો તો પછી એ આપણા કરમછે.