રાજા હતો એ અયોધ્યા નગરીનો
પણ લખેલા ભાગ્યથી કોણ બચે
પ્રાણથી પ્યારા પોતાના રામને
દૂર વનવાસે જતા કોણ રોકે
પીડા થયેલી એના હૃદયમાં
પણ એના દર્દને કોણ પુંછે
વેદના છે વિરહની મનમાં
આંખોમાંથી વહેલા આંસુ કોણ લૂછે
'હે રામ' કહી પોતાનો દેહ છોડયો
દશરથની એ વ્યથા કોણ સમજે ....
Dr. Dipak Kamejaliya
-Kamejaliya Dipak