https://www.matrubharti.com/novels/32377/from-the-window-of-the-shaman-by-ketan-vyas
મારી સામજિક નવલકથા "શમણાંના ઝરૂખેથી", હવે માતૃભારતી પર વાંચો. આપનાં યોગ્ય પ્રતિભાવ પણ આપશોજી.
આ વાર્તામાં નાયિકાનું પોતાનાં પિયરમાંનું તેમજ સાસરિયામાનું જીવન, ને સાથોસાથ ઉદભવતા તફાવતનું વર્ણન કરવાની સાથે સાથે પોતાના સપનાઓ માટેની એક વ્યક્તિ તરીકેની ખેવના અને સાંસારિક જીવનની સામાન્ય સમસ્યાઓની વચ્ચેનો સંઘર્ષ...
પણ, શું નાયિકાનું જીવન શું કોઈ અલગ પરિણામ લાવે છે કે પછી સામન્ય રીતે થતી સાસુ વહુ ની ઘટનાક્રમમાં ગૂંચવાય છે ?
અહીં ઘટનાક્રમ કે વાર્તાનો અંત ભલે સામન્ય લાગે, પણ નાયિકાની મનોદશા તેમજ ઝરુખેથી જોવાતું અને જીવાતું જીવન કોઈ પણ વ્યક્તિનાં હૃદયને સ્પર્શ્યા વગર નહીં રહે તેની વાંચકગણ જ ખાતરી આપશે.
કદાચ મારી વાર્તાની નાયિકા 'સ્વ' અને શમણાંની કોઈ કોઈ વાંચક હૃદયને વધારે સ્પર્શી જાય કે કાંઈ ઈશારો કરી જાય તો 'ના' નહીં!
બાકી બધું આપ વાંચક મિત્રો પર છોડું છું.