સ્નેહનો સંબંધ છે નિરાળો....
તે વાવ્યા પછી તેનામાં રાખો થોડી કાળજી... Bindu Anurag
સમયાંતરે બસ કરો તેની માવજત
સમય મળતા ક્યારેક સીંચો સ્નેહને
એ સંબંધ થઈ જશે એવો અકબંધ
કે સમય વીતી જશે પણ સ્નેહ નો સંબંધ નહીં વિસરાય
સમય -સમયે સ્નેહ નથી બદલાતો
પણ બદલાય છે માનવીની અપેક્ષાઓના કારણે એ સંબંધ
દરેક સંબંધને ક્યાં છે વાચાની અહીં જરૂર
કે દરેક સંબંધને ક્યાં છે અહીં કોઈ એક નામ ની જરૂર
ઘણા સંબંધો હોય છે નિરાળા
બસ સંબંધ નિભાવનાર પાત્રો પર છે તે આધારિત
અને સ્નેહ જો હોય સાચો તો ગમે તેટલા થાય વાદ વિવાદ
પણ અંતે તો થશે સાચા સ્નેહની જ જીત
એકવાર બસ નિખાલસ હૃદય એ તમે સીંચો સ્નેહનો સંબંધ
પછી મૃત્યુ પર્યંત એ સંબંધ તમારો રહેશે અકબંધ
જીવન-મૃત્યુ તો છે નિશ્ચિત
પણ સ્નેહના સંબંધો છે તમારી કાબિલિયત
જીવન દરમિયાન મળશે હજારો માણસો પણ
સ્નેહનો સંબંધ તો હશે જૂજ વ્યક્તિઓ જોડે જ તમારો.....
10:44 PM
03/05/18
-Bindu _Anurag