મારુ અર્ધજાગ્રત મન કહે છે...
છું તારી પડખે હું
છું તારો પડછાયો હું
છું તારી વ્યથા હું
છું તારી કથા હું
છું તારી ચાહત હું
છું તારી સહિયર હું
છું તારી સાક્ષી હું
છું તારો વિચાર હું
છું તારુ વર્તન હું
છું તારો આતમ હું
પછી શા ને ભટકે છે આમ તેમ
જપ ને સારું કર્મ તું, આવશે જે તારું છે
કહે તારું મન જે છે અર્ધજાગ્રત પણ
સાંભળ તેનો પુકાર તું
-Shree...Ripal Vyas