વ્હારે આવવી ઉગારો હવે આશાપુરા માત.
આ જગતમાં જોને કેવો થયો કોરોના નો ઉત્પાત.
કોઈના ગયા ભાઈ કોઈના ગયા માત,
કોઈની ગઈ બેનડી કોઈ ના ગયા તાત.
પ્રેમ ના પારખા મા જીવન આપી દિધા ભરથાર,
મિત્રો ને માવડીયુ રડે કેવા કરયા તે અમને લાચાર.
કુંભકર્ણ હોય તો જાગે, આફતમા આપે પ્રાણ.
નર કહે આતી સુતી સરકાર ને લોકોની ક્યાં ત્રાણ.
ધન્ય ધરાના ભગવાન ને ઉગાર્યા લોકો માટે ભાણ.
નર કરે દિલથી એની સેવા ના વખાણ.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા