નવ નવ દિવસ સુધી
શક્તિ રૂપી માતાની
પૂજાને પછી
દશાનન ને બાળી
બુરાઈનો નાશ કરવાનો
આપણે દેખાડો કરીશું.
વાસ્તવમાં અંદરની બુરાઈનો
નાશ નથી કરતા!
તેથીસ્તો નર નારીને
અપમાનીત કરતો રહે છે.
અબળા નારી લૂંટાતી
રહે છે.
જાતિવાદ,પ્રાંતવાદ
અને જ્ઞાતિવાદ માં
મારો દેશ રોજ
બળતો રહે છે!
#નવરાત્રી