નવરાત્રી મહોત્સવ
ગુજરાતીઓ માટે માતાજી ની આરાધના અને ગરબા મહોત્સવ ગણાય છે.ગુજરાત સિવાય પણ
પૂરા ભારતમાં અને જે દેશમાં ગુજરાતી વસે ત્યાં
નવરાત્રી મહોત્સવ આનંદ અને ઉત્સાહ પૂર્વક મનાવાય છે.
માતૃ ભારતી હજુ પણ રાષ્ટ્રભાષા માં લખવામાં શા માટે નાનપ અનુભવે છે તે સમજાતું નથી!
ગુજરાતી,હિન્દી અને મરાઠી "નવરાત્રી કાવ્યોત્સવ" ની જાહેરાતમાં અંગ્રેજી ભાષા અને લિપિ નો ઉપયોગ મને બહુ ખૂંચે છે , તમને નથી ખૂંચતું?
તમારા પ્રતિભાવ અને અભિપ્રાય આપજો.
અસ્તુ