બોલીવૂડની ફિલ્મો જોનારાઓને મંદિર ગમતાં નથી,
એટલે જ હવે એ લોકોને ઈશ્વર મંદિરમાં મળતાં નથી.
અહીં તો છે બોલબાલા બોલીવૂડના અશ્લીલ ગીતોની,
એટલે જ હવે એ લોકોને મંદિરમાં ભજન ગમતાં નથી.
પૂજા-પાઠને પાખંડનું નામ આપી પ્રખ્યાત કર્યું બોલીવૂડે,
એટલે જ હવે લોકો આ મંદિરમાં પૂજા-પાઠ કરતાં નથી.
શ્રદ્ધાને અંધશ્રદ્ધાના નામે બહુ વિખ્યાત કરી બોલીવૂડે,
એટલે જ હવે ફિલ્મ જોનારાઓ મંદિરમાં જતાં નથી.
કલ્પેશ વાસાણી 'મીત'
#મંદિર