ઘણાં માણસો અમુક વાર કહેતા હોય છે કે 'જ્યાં લાભ મળે લઈ લેવાનો'. પણ એમાં મોટાભાગે મોટાભાગના લોકો પોતાના સ્વાર્થ માટે કરેલા કામ ને યોગ્ય ઠેરવે છે.
લાભ લેવો અને ગેરલાભ ઉઠાવવો બંને માં આકાશ અને પાતાળ નો તફાવત છે.
ગેરલાભ ઉઠાવવાના પરિણામો -
૧. હવા માં ઝેર
૨. પાણી માં ઝેર
૩. જીવન આપનાર માટી માં પણ ઝેર
૪. પરિવાર માં વેર
૫. સંસ્કૃતિ નું નિકંદન
૬.ધર્મ માં પાખંડ
૭. મજબૂર નું શોષણ
૮. પાપી લોકો નું પોષણ
૯. દંભી ના હોવાનો દંભ
હમણાં જ દિવ્યભાસ્કર ની એપ માં વાંચ્યું કે એક મહિલા પાસે પૈસા ન હોવાના કારણે ફોર્મ ના ભરી શકી તો હોસ્પિટલે તેના પતિ ની સારવાર ના કરતા ૧૨ કલાક રાહ જોયા બાદ પતિ નું મૃત્યુ થયું.
અને છેવાડાના માનવીને ક્યાં મળે છે કોઈ લાભ??
#લાભ