મારી દ્રષ્ટિએ એક લેખક એ હૃદય જેવો
અને એનું લખાણ એ એનાં શ્વાસ જેવું હોય છે.
વ્યક્તિ જિંદગીના ઢોળાવો પર
જેમજેમ ચડ-ઊતર કરતો જાય,
તેમતેમ શ્વાસરૂપી લખાણનો વેગ પ્રબળ બનતાં,
હૃદયરૂપી લેખક વધુ ને વધુ સચોટ, પુખ્ત,ધારદાર
અને અર્થસભર થતો જાય છે.
લેખક કે કવિ હંમેશા હાંફતો સારો!
તો જ હાંફવા-હંફાવવાનું ટીંપુ,
એનાં માનસ અને હૃદયપટલ પર અંકિત થશે.
હાંફવાની આ સંઘર્ષયાત્રા,
અક્ષરોની આનંદયાત્રામાં જો પરિણમે
તો પછી શબ્દેશબ્દમાં શ્યામ મુરારી વસે...!
- પંકિલ દેસાઈ