ફૂલોને પણ કરમાવાની ખબર પડે છે,
છતાં પણ સુગંધ ફેલાવાનું ક્યાં ચૂકે છે.

રસ્તાની ધૂળને ક્યાં ઉન્નતિની જાણ છે,
એને માટે તો પગતળે કચડાઈ જવું એ જ કામ છે.

સૂર્યને પણ દરરોજ પોતાની માયા સંકેલવી પડે છે,
એટલેજ ચાંદ ની ખૂબસૂરતી આટલી ખીલે છે.

પાનખર તો વસંતની ઓથમાં જ ઢબુરાયેલી હોય છે,
તો બહાર પણ પાનખરનું પાનેતર ઓઢીને જ આવેલી હોય છે.

નિમિકા.


#ઉન્નતિ

Gujarati Thought by Nimika : 111480326

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now