વસંત
જ્યા વસે એક સંત ત્યાં સદાકાળ વસંત....
વસંત શબ્દ સાંભળતાજ એક પ્રફફુલ્લિત, નવપલ્લવિત, ખુશનુમા, આનંદમયી, ક્ષેમકુશળનો સંદેશ આપતું વાતાવરણનો અનુભવ થાય છે તેનુ કારણ શું... જે વાતાવરણ સર્વજન હિતાય સુખાય હોય ત્યાં વસંત પાંગરી અનુભવાય... એટલે વિશેષ અર્થમાં સંતને વસંત કહેવાય કારણકે સાચા સંત કોઈપણ નિજ સ્વાર્થ વગર જે કાંઈ પ્રવૃત્તિ કરે તે અન્ય કે સર્વજન હિતાય જ હોય તેજ પ્રમાણે વસંત ઋતુમાં ફૂલો ફળો વિવિધ પુષ્પો અને પર્ણો દરેક ડાળી ડાળીએ દ્રષ્ટિગોચર થાય છે એક નવપલ્લવિત અને નવજીવનનો અહેસાસ થાય તેમ દરેકના જીવનમાં વસંત અને સંત હમેશા પાંગરેલા રહે તેવી શુભકામના.......