ઈ.સ.1975 ની એ અંધારી રાત અને ગોધરાથી દેવગઢ બારિયા જતો એ સૂમસામ રસ્તો. બરોબર ચાંચેલાવ રેલ્વે સ્ટેશન આવવાનુ થયું અને ગાડીએ ગરમી પકડી અને બંધ થઈ પડી. અમાવાસ હોવાથી રાતનું અંધારું વધારે ઘેરું થતું હોય એવું લાગ્યું. એવામાં પાછળથી કોઈનો અવાજ આવ્યો શું થયું સાહેબ?. એક ઘરડો વ્યકિત દેખાવે મુસ્લીમ લાગતો હતો અને મોઢામાં રાખેલી બીડી ફૂંકતો એ વ્યક્તિ અંધારપટ ઇલાકામાં આશાનું કિરણ લઈને આવ્યો. નામ એનું ઇકબાલ કહ્યું.
છલાવા - ભાગ 1
ઈ.સ.1975 ની એ અંધારી રાત અને ગોધરાથી દેવગઢ બારિયા જતો એ સૂમસામ રસ્તો. બરોબર ચાંચેલાવ રેલ્વે સ્ટેશન આવવાનુ થયું ગાડીએ ગરમી પકડી અને બંધ થઈ પડી. અમાવાસ હોવાથી રાતનું અંધારું વધારે ઘેરું થતું હોય એવું લાગ્યું. એવામાં પાછળથી કોઈનો અવાજ આવ્યો શું થયું સાહેબ?. એક ઘરડો વ્યકિત દેખાવે મુસ્લીમ લાગતો હતો અને મોઢામાં રાખેલી બીડી ફૂંકતો એ વ્યક્તિ અંધારપટ ઇલાકામાં આશાનું કિરણ લઈને આવ્યો. નામ એનું ઇકબાલ કહ્યું.સાહેબ આજે અમાવસ છે અને અહીંયા છલાવાનાં કિસ્સા ખુબ પ્રખ્યાત છે. અવિનાશ આ વાત એક અજાણ્યા રાહગીર ઇકબાલનાં મુખેથી ચૂપચાપ સાંભળી રહ્યો હતો. અવિનાશ મૂળ મધ્ય પ્રદેશથી ગુજરાતની ટૂર ઉપર નીકળેલો એક ...Read More
છલાવા - ભાગ 2
" તો દીકરા કિશન આ હતી મારી આંખે જોયેલી અને અનુભવેલી છલાવાની વાત " ઈકબાલ ચાચાએ પોતાની જેમ ઘોડાં ચલાવતા એક નવજુવાન યુવક જેનું નામ કિશન હતું એને આપવીતી સંભળાવતા કહ્યું અને બીડી મોઢામાં મૂકી દીવાસળી સળગાવી.કિશન પણ ઈકબાલ ચાચાની જેમ ચાંચેલાવ સ્ટેશન થી દેવગઢ બારીયા નજીકના ગામડાઓમાં મુસાફરોને ઘોડાં ગાડી મારફતે મંઝીલે લઈ જઈ ગુજરાન ચલાવતો. પછી શું થયું ઈકબાલ ચાચા ફરી કદી આવો કડવો અનુભવ થયો આપને? કિશને ઉત્સુકતાથી પૂછ્યું. ના બેટા ફરી કદી પણ અમાસની રાતે મેં એકલા બહાર જવાની હિંમત નહોતી કરી. પણ મારો દીકરો માજીદ ટ્રક ડ્રાઈવર છે અને એને તો અમાસ હોય કે ...Read More
છલાવા - ભાગ 3
ઇકબાલ ચાચા અને માજીદની વાત સાંભળ્યા પછી કિશન ખુબજ સાવચેત રહેવા લાગ્યો કારણ કે કિશને વાત ભલે જવાનીમાં પગ પછી અત્યારે સાંભળી હોય પણ દરેક અમાસની રાત્રે અવારનવાર અજાણ્યા લોકોની લાશો મળી આવતી એ વાત તો કિશન નાનો હતો ત્યારથી સાંભળતો આવતો હતો. દેવગઢ બારિયા એક વનવિભાગ છે અને ત્યાં આવેલું રતનમાળનું જંગલ લગભગ ૪૫ કિમીનો ઘેરાવો ધરાવે છે. એટલે ઘણાં પોલીસ અધિકારી અને રાજકારણ સાથે સંકળાયેલા લોકો આ બનાવોને જાનવરોના શિકાર તરિકે ખપાવી દેતાં હતાં પણ પ્રશ્ન એકજ હતો કે કદાચ આ જાનવર હશે, અંધ શ્રદ્ધા હશે તો માત્ર અમાસની રાત્રે જ કેમ? અન્ય કોઈ દિવસે કેમ નહી? ...Read More