??ૐ શ્રી ગુરુમાઁબાબા મનસા જરાત્કારું વનદૈવ્યે નમઃ ?? પ્રણયમાં વિરહની પીડા.. પ્રિયજનની ચિંતા.. મિલનની પ્યાસ.. પ્રેમ થકી મિલનનાં આનંદની અનુભૂતિ સ્વર્ગીય ને આલ્હાદક હોય છે. પરંતુ.... વિરહમાં પીડાની અનુભૂતિ પ્રેમને સર્વોચ્ચ સ્થાન આપે છે. ઈશ્વર પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતરણ કરે.. જન્મ લે તો.. એમની લીલામાં પ્રેમ, વિરહ અને મિલનની કેવી અદ્ભૂત અનુભૂતિ કરાવે છે.. ભગવાન શ્રીરામ સોનેરી મૃગની પાછળ જાય છે સીતાજી લક્ષ્મણને શ્રીરામજીની ભાળ લેવાં મોકલે છે.. ત્યાં રામજી અને સીતાજી માટે વિરહની ઘડીનું નિર્માણ થાય છે.. રાવણ સીતાજીનું અપહરણ કરી લંકા પ્રયાણ કરે છે... જયારે રામચંદ્રજી તથા લક્ષ્મણજીને ખ્યાલ આવે છે કે સીતાજી કુટિરમાં નથી પછી એમની શોધ આરંભે છે.. પ્રભુ શ્રીરામ ઈશ્વરનાં અવતાર છે પણ મનુષ્યદેહ ધારણ કરેલ છે.. જીવનની વાસ્તવિકતાઓથી તેઓ પરે નથી.. એમનો સીતાજી માટેનો અપાર પ્રેમ.. વિરહની પીડા છતી થાય છે...
પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 1
ૐ શ્રી ગુરુમાઁબાબા મનસા જરાત્કારું વનદૈવ્યે નમઃ પ્રણયમાં વિરહની પીડા.. પ્રિયજનની ચિંતા.. મિલનની પ્યાસ..પ્રેમ થકી મિલનનાં આનંદની અનુભૂતિ સ્વર્ગીય આલ્હાદક હોય છે. પરંતુ....વિરહમાં પીડાની અનુભૂતિ પ્રેમને સર્વોચ્ચ સ્થાન આપે છે. ઈશ્વર પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતરણ કરે.. જન્મ લે તો.. એમની લીલામાં પ્રેમ, વિરહ અને મિલનની કેવી અદ્ભૂત અનુભૂતિ કરાવે છે..ભગવાન શ્રીરામ સોનેરી મૃગની પાછળ જાય છે સીતાજી લક્ષ્મણને શ્રીરામજીની ભાળ લેવાં મોકલે છે..ત્યાં રામજી અને સીતાજી માટે વિરહની ઘડીનું નિર્માણ થાય છે.. રાવણ સી ...Read More
પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 2
ૐ શ્રી ગુરુમાઁબાબા મનસાજરતકારું વનદૈવ્યે નમઃ પ્રેમ તરફ પ્રયાણ..પ્રેમ તરફ પ્રયાણ એ પ્રકૃતિ તરફનું આકર્ષણ.. પ્રકૃતિ અને પુરુષનું સમાગમ શ્રુષ્ટિની ઉત્તપતિ. શ્રુષ્ટિનાં ઉદભવમાં પંચતત્વ સ્વરૂપ ઈશ્વરની ઈચ્છા કૃપા અને આશીર્વાદ.પ્રેમ લાગણી આકર્ષણ સંવેદના તિરસ્કાર પ્રતિકાર સ્વીકાર ઈર્ષા કરુણા દયા મમતા કાળજી ઉપહાસ બધાં પ્રેમવ્યાકરણ સમજાય ના સમજાય..મીઠો એહસાસ...આ એક પ્રેમસંહિતાઃ..."પિતા પુત્રપુત્રી" નો પ્રેમ "માઁ દીકરા દીકરી"નો પ્રેમ દરેક સબંધમાં સંવેદના પ્રેમ કાળજી કરુણા માયા દયા મમતા સ્વીકાર આકર્ષણ એનો તીવ્ર એહસાસ હોય છે.રામાયણમાં મંથરાએ કૈકઈના કાન ભંભેર્યા અને કૈકઈને સહુથી વધુ પ્રિય એવાં રામને પુત્રાંધ પ્રેમમાં વશ થઈ વનવાસ આપ્યો.આમાં પ્રેમ જાગ્રત હોવાં છતાં નકારાત્મક અને હકારત્મક ઉર્જા બન્ને ...Read More
પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 3
અવિરત પ્રેમની અનુભૂતિ...સતત સંઘર્ષ સાથેની યાત્રા...અવિરત પ્રેમની અનુભૂતિ.. કોઈ વચન આપવા લેવાની વૃત્તિ નહીં બસ નિરંતર પ્રેમ વિશ્વાશની યાત્રા..આકર્ષણ ક્રિયામાંથી પસાર થયાં પછીની સ્થિરતા.. ક્યાંક કોઈ અછડતો સ્પર્શતો અસંતોષ.. કોઈ શંકાના શિકાર.. ઉભો થતો સંઘર્ષ.. વિખવાદ.. કકળાટ... કંકાસ.. આ ઘટતી ઘટનાઓનો આમ સ્વીકાર.. પરંતુ શોધવો પડે એ સમયે પ્રેમનો એહસાસ.. સામાન્ય પ્રેમજીવન કે લગ્નજીવનની આ સુરખીઓ.. બધાંય પ્રેમનાં રોમાંચ રોમાન્સ પૂરાં થઈ ગયાં પછી ઉદભવતી કોઈ અદ્રશ્ય ઉદાસી નીરસતા.. ના કોઈ ઉપચાર ના ઉપાય..સ્ત્રી કે પુરુષ શોધતો રહે અસંતોષનું કારણ ભોગવેલી નિકટતા.. એકરૂપતા..શરીર સુખ એની ભૂખ.. મન શરીર જોઈએ છે શું માંગે છે શું? બતાવે છે શું? હકીકત સ્વીકારવા ...Read More
પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 4
પ્રેમ આરાધના.. ઉપાસના.. તપ.. તપશ્ચર્યા...ઈશ્વરનો સાક્ષાત્કાર એ પ્રેમપૂર્તિ.. સમર્પણ થયાં પછીની મોક્ષ સંતૃપ્તિ..પ્રેમમાં તપ તપશ્ચર્યા.. ઉપાસના આરાધના એટલે પ્રિયજનની એનો લગાવ.. કાળજે ચોંટેલી... ભીંજાયેલી લાગણી.. કદર.. કાળજી.. એક નજર જોવાની પ્યાસ.. બસ.. એનું જ રટણ એની જ તાલાવેલી.. મેળવી લેવાની ચાહ..હાથમાં હાથ પરોવાયેલા હોય નજર એક થઈ હોય હૃદય આનંદથી ઉછળી રહ્યું હોય પામી જવાની અતૃપ્ત ચાહ હોય... બસ પ્રિયજનનો રૂબરૂ સાથ હોય...લાલ ગુલાબ જેવાં હોઠ ચાહત ભીનાં હોય.. રસ ઝરતો સ્વાદ અમૃત બને હોઠથી હોઠ પીવાતાં હોય.. સોમરસની કોઈ તમા ના હોય.. એકમેકમાં સમાઈ જવાની ઉત્તજનાનું બળ હોય.. ઉમાંશીવનું મિલન હોય.. કામદેવની કરામત હોય.. બેઉ દિલ સંતૃપ્તાની હદ ...Read More
પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 5
જુગલબંધી..પ્રેમની જુગલબંધી.. પ્રેમમય વિચાર વર્તનની જુગલબંધી...જુગલબંધીથી બધાં પરિચિત જ છે.. ગાયકી.. રાગ.. સંગીતની.. વાજીંત્રોની.. ગાયકી શહનાઈની.. તબલા સારંગીની.. વીણા રાગની....આમજ.. પ્રેમની જુગલબંધી.. પ્રેમલક્ષણાં ભક્તિની.. ભક્ત ભગવાનની.. પ્રિયતમની પ્રિયતમા સાથેની.. પુત્રની માબાપની..અરે.. આમ સબંધોનાં જુદા જુદા પ્રેમ સ્વરૂપની જુગલબંધી દિલમાં જોઈ... જાણીને.. ઉતરી છે એનું લેખન શબ્દો થકી ઉતારી રહ્યો છું.. પ્રેમ જુગલબંધીના પ્રેમમાં ભીંજવવા માંગુ છું....પ્રેમસાગરમાં ડુબાવવા માંગુ છું.. આ આલ્હાદક ડૂબકી અદભૂત છે ઈશ્વરના સાનિધ્યમાં ઉપાસના જેવી છે...પ્રિયતમનો પ્રણય એવો દિલ ભીંજવી નાંખે એવો હોય અને પ્રિયતમાનાં તન મન સાથે આંખ ભીંજાઈ જાય છે એક અનોખી જુગલબંધી અનુભવાય છે.. પ્રેમનો સમર્પિત ભાવ બન્નેને ભાવાવેશમાં પાગલ બનાવે છે સ્વર્ગીય ...Read More